સરકારનો આદેશ: પ્રથમ દિવસે શાળા કોલેજ આવનાર વિદ્યાર્થીઓને સંચાલકોએ ફરજીયાત આ ગીફ્ટ આપવી પડશે

થોડા દિવસ બાદ જયારે રાજ્યમાં શાળા-કોલેજોની શરૂઆત થવાં માટે જઈ રહી છે ત્યારે હાલમાં વિદ્યાર્થીઓ માટે આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા…

થોડા દિવસ બાદ જયારે રાજ્યમાં શાળા-કોલેજોની શરૂઆત થવાં માટે જઈ રહી છે ત્યારે હાલમાં વિદ્યાર્થીઓ માટે આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા દિવાળી પછી નવેમ્બર માસમાં શાળા-કોલેજોની શરૂઆત થવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો પણ દિવાળી બાદ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો.

જેને લીધે રાજ્ય સરકારે શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જયારે હવે રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગની કામગીરીને લીધે રાજ્યમાં કોરોનાનું સંક્રમણમાં ઘટાડો થયો છે ત્યારે ફરીથી સરકારે શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કુલ 2 દિવસ અગાઉ જાહેરાતમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, 11 જાન્યુઆરીથી રાજ્યની શાળાની શરૂઆત કરવામાં આવશે તથા શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તથા શિક્ષકો એ નિયમોનું પાલન કરવાનું રહેશે. નિયમોનું પાલન કરવાની જવાબદારી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓની, શાળાના આચાર્ય તથા સંચાલકોની રહેશે. 11 જાન્યુઆરીએ કોલેજમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી એક ભેટ આપવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે.

કોરોના મહામારી વચ્ચે શાળા કોલેજોની શરૂઆત થયાના પ્રથમ દિવસે કોલેજમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને સ્વાગત ભેટ રૂપે એક કીટ આપવામાં આવશે. આ કિટમાં માસ્ક તથા સેનેટાઈઝર જેવી વસ્તુંઓ રાખવામાં આવશે. જેને લીધે વિદ્યાર્થી કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહી શકે.

મહત્ત્વની વાત છે કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે કે, વિદ્યાર્થીઓએ શાળામાં આવવુ ફરજિયાત નથી. જે વિદ્યાર્થી શાળા કોલેજમાં જવા ઈચ્છતા હોય તેમણે માતા-પિતાની લેખિતમાં મંજુરી લેવી ફરજીયાત છે. આની ઉપરાંત મીડિયા સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના આપવામાં આવશે નહીં તેવું પણ કહ્યું હતું.

ઓફલાઇન શિક્ષણની સાથે જ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા પણ શરુ રહેશે તેવું પણ તેમણે કહ્યું હતું. આની ઉપરાંત વિદ્યાર્થીઓને સામાજિક અંતર રાખીને બેસાડવામાં આવે તેવાં પ્રકારની પણ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. વાલી મંડળ દ્વારા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આલવાની માંગણી પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *