સુરત: એવું તો શું થયું કે, લગ્નના થોડા જ દિવસમાં પત્નીએ કરી લીધો આપઘાત

સુરત શહેરનાં ઉધના વિસ્તારમાં થોડા દિવસો પહેલા ગળે ફાંસો ખાઈ ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જોકે પતિએ તેને હાલના સમયમાં પિયર ઓરિસ્સા જવાની ના પાડતા તેને માઠું લાગી ગયું આ કારણે તેને આ પગલું ભર્યું હતું.

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત અનુસાર ઉધના વિસ્તારમાં આવેલાં કલ્યાણ કુટીર નગરમાં રહેતા 26 વર્ષનાં સવિતાબેન જીતેન્દ્રભાઈ નાયક ગઈ તારીખ 15 ઓક્ટોબરની રાત્રે ઘરમાં પંખાનાં હૂક સાથે સાડીનો છેડો બાંધીને ગળેફાંસો ખાઈ રહ્યા હતા તે સમયે અચાનક તેનાં પતિની નજર પડતા તેને ત્યાંથી નીચે ઉતારી સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલનાં રોજ સાંજનાં સમયે તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સવિતાબેન મૂળ ઓરિસ્સા ગંજામનાં વતની હતા તેમનાં લગ્ન 6 થી 7 મહિના અગાઉ જ થયા હતા. સવિતા બેનના પતિ સંખ્યા ખાતામાં નોકરી કરે છે જોકે સવિતા બેન દ્વારા તેના પતિને તેનાં વતન ઓરિસ્સા જવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે સવિતા બેનના પતિએ દિવાળી પછી જવા કહ્યું હતું. જેના લીધે સવિતા બેન આવેશમાં આવી નાસીપાસ થઈને આ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

આ વિશે સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. સાવ નાની એવી વાતમાં આવેશમાં આવીને સવિતા બેનએ આત્મહત્યા માટેનું પગલું ભર્યું હતું. 4 થી 5 દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ તેમનુ મોત નીપજ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *