સુરતની ભૂમિને આ જગ્યાએ અર્પણ થશે ક્રાંતિ ચોક: PAAS નેતા અલ્પેશ કથીરિયાએ કરી જાહેરાત

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાએ થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે, તે 15 ઓગસ્ટના સ્વાતંત્ર દિવસે એક મહત્વની જાહેરાત કરશે. અલ્પેશ કથીરિયાના…

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાએ થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે, તે 15 ઓગસ્ટના સ્વાતંત્ર દિવસે એક મહત્વની જાહેરાત કરશે. અલ્પેશ કથીરિયાના કહ્યા અનુસાર, આવતી કાલે તેમણે એક મહત્વની અને મોટી જાહેરાત કરી દીધી છે.

અલ્પેશ કથીરિયાએ કરેલી જાહેરાત અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં યોગીચોકથી કારગીલ ચોક જવાના રસ્તા પર ક્રાંતિ ચોક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ક્રાંતિ ચોકમાં 365 દિવસ અને 24 કલાક રાષ્ટ્રધ્વજ ફરકતો રહેશે. જેમાં આ ચોકમાં ક્રાંતિકારી સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. આગામી દિવસોમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ ક્રાંતિ ચોક સુરતની જનતાને અર્પણ કરવામાં આવશે અનેક સામાજીક સંસ્થાઓ આગેવાનો તથા સુરતના ઉદ્યોગ સાહસિકોના યોગદાન વતી તમામનો અમારી ટીમ આભાર માનીએ છીએ. તેવી જાહેરાત અલ્પેશ કથીરિયા દ્વારા કરવામાં આવી હતી.

પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરતના યુવાનો માં રાષ્ટ્ર પ્રત્યે જોમ-જુસ્સા સાથે દેશ પ્રત્યેની ભાવના જબુકતી રહે તે સાથે સુરત શહેર ના વરાછા વિસ્તારમાં યોગીચોક થી કારગીલ ચોક વચ્ચે આવતા ચાર રસ્તાને “ક્રાંતિ ચોક” નામ આપવામાં આવશે.

જે જગ્યાને ‘ક્રાંતિ ચોક’ નામ આપવામાં આવશે તે ચોક અત્યારે કિરણ ચોકના નામે ઓળખાય રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવતા કહ્યું હતું કે, આજથી ક્રાંતિ ચોક બનાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ આગળનું કાર્ય શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *