અયોધ્યામાં આકાર પામી રહેલા રામમંદિરની લેટેસ્ટ તસ્વીરો આવી સામે- ઘરેબેઠા કરો નિર્માણાધીન રામ મંદિરના દર્શન

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રામ મંદિર સાથે કરોડો લોકોની આશા અને આસ્થા જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, ડિસેમ્બર 2023ના અંત સુધીમાં આ રામ મંદિર બનીને તૈયાર થઈ જશે.

હાલમાં જ રામ મંદિરનું પ્રવેશ દ્વાર બનીને તૈયાર કર્યા પછી તેના ઉંબરાની પૂજાવિધિ કરવામાં આવી હતી. તેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

શ્રી રામ ભગવાનની જન્મભૂમિના તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય હાલમાં મંદિરના નિર્માણના લેટેસ્ટ ફોટો શેયર કરવામાં આવ્યા છે.

આ ફોટોમાં રામ મંદિરનું ભવ્ય રુપ ધીમે ધીમે સામે આવતું જોવા મળી રહ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે.

ફોટોમાં જોઈ શકાય છે કે મંદિરને આકાર આપવા માટે સ્તંભોને જોડવાનું કામ ચાલી રહ્યું છે. મંદિરના ગર્ભ ગૃહમાં અત્યાર સુધીમા 65 હજાર ઘનફીટ પત્થર મુકવામાં આવ્યા છે.

મંદિરના ગર્ભ ગૃહની ચારેય બાજુની દીવાલ બની ચુકી છે. મંદિરની દીવાલો 13 સ્તરમાં બનશે, જેમાં 9 સ્તર સુધીનુ  કામ પૂરુ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *