આ માતાનો જીવ કેમ ચાલ્યો હશે? પોતાની જ બે માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેકી દીધી, કારણ માત્ર એટલું હતું કે…

અમદાવાદ(Ahmedabad): માં તો પોતાના બાળકો માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર થઇ જતી હોય છે. એટલે જ તો કહેવાય કે, ‘માં તે માં બીજા બધા…

અમદાવાદ(Ahmedabad): માં તો પોતાના બાળકો માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર થઇ જતી હોય છે. એટલે જ તો કહેવાય કે, ‘માં તે માં બીજા બધા વગડાના વા’. પરંતુ હાલ શહેરમાંથી આનાથી ઉંધી ઘટના સામે આવી છે. જેમાં જન્મ આપનારી માતાએ જ પોતાની બે મહિનાની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇ હત્યા કરી નાખી છે.

મળતી માહિતી અનુસાર, પેટલાદની રાવલી ગામમાં આસિફમિયાં મલેક તેની પત્ની ફરજાનાબાનુ સાથે રહે છે. તેણે બે મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે જન્મતાની સાથે જ દીકરી સતત બીમાર રહેતી હતી. તેની નડિયાદ અને વડોદરા સારવાર કરાવી હતી. એસએસજી હોસ્પિટલમાં 24 દિવસ માટે દાખલ કરી ઓપરેશન કર્યું હતું. બાળકીનો આંતરડાનો ભાગ બહાર આવી ગયો હતો. તેથી બાળકીને કોઈ ફરક ન પડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલાં 1,200 બેડમાં દાખલ કરવામાં આવી હતી.

આ દરમિયાન ગઈકાલે સવારના સમયે પિતાએ સવારે ઊઠીને જોયું તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી ન હતી. જેને પગલે તેમણે હોસ્પિટલના CCTVની તપાસ કરાવતાં તેની પત્નીએ જ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇ હત્યા કર્યાનું સામે આવ્યું હતું. આ મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી છે. ત્યારે આ અંગે ફરજાનાબાનુની પૂછપરછ કરતાં દીકરી અમરીનબાનુ જન્મથી જ બીમાર રહેતી હતી, જેથી કંટાળી ગઈ હોવાથી તેણે ત્રીજા માળેથી તેને ફેંકીને દીધી હોવાનું જણાવ્યું હતું.

પતિની ફરિયાદની આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો:
આ ઘટનાને પગલે પતિ આસિફમિયાંએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની ફરજાબાનુના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધ્યો છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *