1962માં થયેલ ભારત-ચીન વચ્ચેની લડાઈમાં રાજા કૃષ્ણકુમાર સિંહજીએ કર્યું હતું આ બહુમુલ્ય વસ્તુનું દાન- જાણી ચોંકી ઉઠશો

ઈ.સ. 1962માં દગાબાજ ચીને જયારે ભારત પર આક્રમણ કર્યું હતું. ત્યારપછી ભારતીય સેનાને સંદેશાવ્યવહારની ગોપનીયતાને જાળવી રાખવાં માટે જ્યારે ઘણા બધા તાલીમબદ્ધ કબૂતરની જરૃર પડી હતી, ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરથી કુલ 17 જોડી હોમર કબૂતરની ભેટ પણ આપી હતી.

પ્રજાવત્સલ તેમજ રાષ્ટ્રપ્રેમી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પક્ષીપ્રેમી પણ હતા અને તેમની પાસે દેશ-વિદેશના કબૂતરોનો અનોખો સંગ્રહ પણ રાખેલ હતો. હાલમાં, ભારત-ચીનની વચ્ચે જયારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ઈ.સ. 1965 ની સાલમાં ઈતિહાસમાં લખાયેલ આ પ્રસંગ પ્રાસંગિક બની રહેશે.

ભાવનગરના બળદેવસિંહજી ગોહિલે વિગતો આપી જણાવતાં કહ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કબૂતરને પાળવા અને ઉડાવવા માટેનો શોખ કેળવ્યો હતો. દેશ-વિદેશથી અવનવા પક્ષીઓની પસંદગીપૂર્વક મંગાવીને નીલમબાગમાં વસાવ્યાં હતાં. તેમનો આ પક્ષી સંગ્રહ પણ બહોળો અને બેનમૂન પણ હતો.

શાહજાનપુરી, કલદુમાં, લાલસારા, અમરસારા, બજરી, મોતી, કલચંપા, કલશીરા, બીકાનેરી, જોધપુરી સહીતના ઘણી જાતના કબૂતરો પણ મહારાજાએ એકઠા કર્યા હતાં. મોટી કિંમત ચૂકવીને મુંબઈથી સ્ટાર્મ ફ્લાયર્સ દ્વારા મંગાવ્યા હતાં. ઈ.સ. 1929-30 માં અમદાવાદથી 1 જોડી આર્કેન્જલ કબૂતર ખરીદેલા હતાં. વડોદરાથી સારી એવી સંખ્યામાં પણ હોમર જાતિના કબૂતર ખરીદ્યા હતા. જૂના સમયમાં સંદેશાવાહક તરીકે આ હોમર કબૂતરોનો જ ઉપયોગ થતો હતો.

આવા કબૂતરોના શોખીનોની મુંબઈમાં  ‘બોમ્બે હોમીંગ પીજીયન ફ્લાઇંગ સોસાયટી’ કરીને એક સંસ્થા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી જયારે પણ મુંબઈ જતા હતાં ત્યારે આ સોસાયટીની મુલાકાત લેવાં જતા હતાં. સભ્યોની સાથે વિચાર વિમર્શ કરતા હતાં. પત્રવ્યવહારથી પણ વિચારોની આપ-લે થતી રહેતી હતી. મુંબઈની આ સંસ્થાએ મહારાજાને સોસાયટીના ઉપપ્રમુખ પણ બનાવ્યા હતાં.

મુંબઈથી મહારાજા પર પત્ર પણ આવ્યો હતો. લશ્કરના સિગ્નલ કોરને હોમીંગ કબૂતરોની જરૂરીયાત છે. મહારાજાએ ભાવનગરમાં રૂબરૂ મળવા આવવા જણાવ્યું હતું. સોસાયટીના સેક્રેટરી પાડબીદી પણ ભાવનગર આવ્યાં હતાં. તેમને કબૂતરોની આવડતો રૂબરૂ બતાવી હતી, સેક્રેટરીઓ ખૂબ ખુશ થયા હતાં અને બોલી ઉઠયા હતાં કે, ‘હુકમનો ખરો અમલ કરનારાં આવા કબૂતરોને જોવામાં આવ્યા નથી. આપે પણ ઘણો પરિશ્રમ ઉઠાવેલો આવી જણાય છે.’

મહારાજાએ પ્રશ્ન જણાવતા કહ્યું કે, ‘ભારતીય લશ્કરને આ કબૂતરોની જરૂરીયાત કેમ પડી ?‘

સેક્રેટરીએ જણાવતાં કહ્યું કે, ‘ચીનના આ આક્રમણ પછી લશ્કરના સંદેશાવ્યવહારમાં પણ ઘણી મુશ્કેલીઓ ઉભી થવા લાગી છે.’

મહારાજાએ જણાવતાં કહ્યું હતું કે, ‘લશ્કરની પાસે તો સંદેશાવ્યવહારની માટે આધુનિક વ્યવસ્થા તો હોય જ છે.’

સેક્રેટરીનો જવાબ હતો – ‘હા નામદાર, પણ વાયરલેસ વગેરેથી મોકલવામાં આવતા સંદેશાઓ દુશ્મન પણ સાંભળી શકે છે. જેથી હોમર કબૂતરોનો વિકલ્પ વિચારવામાં આવ્યો છે. દેશમાંથી આવા કબૂતરો એ 1-2 જોડીમાં જ મળે છે. તેનાં માલિક પણ જુદા જ હોય છે. જેથી તાલીમ આપવામાં પણ મુશ્કેલી પડે છે. આપની પાસે કુલ 17 જોડી છે. વળી લશ્કરને જરૂર છે, એવા તાલીમબદ્ધ પણ છે.’

જીવની જેમ સાચવેલા આ હોમર કબૂતરોને લશ્કરના ઉપયોગને માટે એકપણ રૂપિયો લીધા વિના ભેટમાં આપ્યા હતાં. ઈ.સ. 1948માં દેશના ચરણે ભાવનગર રાજ્ય સોપ્યું એ દેશના રક્ષણાર્થે કબૂતર સોંપતા પણ હૈયું હરખાયું હતું. 31 માર્ચની રાત્રે પોતાના આ વ્હાલા કબૂતરોને વાસના પાંજરામાં રખાવીને રેલવેના બ્રેકવાનમાં મૂકાવીને વિદાય આપવા માટે પોતે જાતે જ સ્ટેશન પર ઉપસ્થિત રહ્યા હતા.

1 એપ્રિલ, 1965ના રોજ મહારાજા સ્વર્ગવાસી થયા અને એ જ દિવસે તેમના વ્હાલા કબૂતરો પણ મુંબઈ પહોચીને દેશસેવામાં દીક્ષિત થઇ ચૂક્યા હતાં.

કબૂતરના પિંજરાની માટે પોતે જ ડીઝાઈન કરેલ દોરી આપીને પીંજરા બનાવડાવ્યા હતાં. કબૂતરોને દૂર જઈને ઉડાડવામાં આવ્યા હોય તો પણ આજ્ઞાા મુજબ પરત પણ આવી જાય તેવી તાલીમ આપવામાં આવી હતી. ભાવનગરના જુદાં-જુદાં સ્થળેથી પછી બુધેલ, ત્રાપજ, તળાજા અને છેલ્લે તો મહુવાથી છોડેલા કબૂતર પણ પરત આવવાં લાગ્યા હતા. મહુવા-ભાવનગર કુલ 60 km થાય છે. આ અંતર કાપતા કબૂતરોને માત્ર 1 જ કલાકનો સમય લાગતો હતો.

મુંબઈથી ઊંચી કિંમત ચૂકવીને ડુબ જાતના કબૂતર પણ મેળવ્યા હતા. આ કબૂતરને વહેલી સવારે છોડીએ ત્યારપછી સાંજ સુધીમાં પાછાં આવે. ખૂબ ઊંચે જ ઉડતા હોય પરંતુ નીચે 1 સફેદ કબૂતર છોડતા જ ઊંચે ઉડતા કબૂતરો નીચે આવી જતા હતાં. આ કબૂતરો દરેક ઋતુમાં ઉડતા હતાં. આવી કુલ 3 જોડ મંગાવવામાં આવી હતી.

ભાવનગરમાં ગંગાજળિયા તળાવ ખાતે ‘જીવ રક્ષક દળ’ દ્વારા સંચાલિત ‘એનિમલ હેલ્પલાઈન હોસ્પિટલ’ છેલ્લાં કુલ 6 વર્ષથી કાર્યરત છે. જેમાં ઈજાગ્રસ્ત થવાથી અથવા તો બિમારી પીડિત અબોલ જીવો પશુઓ અને પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.

હાલમાં આ ‘એનિમલ હેલ્પલાઈન હોસ્પિટલ’માં હોમર કબૂતરની કુલ 3 જોડ હોવાનું બ્રિજેશભાઈ શાહે જણાવ્યું હતું. તેમણે જણાવતાં કહ્યું હતું કે, આ ઈજાગ્રસ્ત અને બિમાર કબૂતરોને દેસાઈનગરમાં રહેતા સેવાભાવી ધ્રૂવભાઈ રાજ્યગુરૃએ અલગ-અલગ સમયે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *