અચાનક યુવકને થવા લાગી લોહીની ઉલટી… સાત ડોકટરે કલાકો સુધી ઓપરેશન કરી પેટમાંથી કાઢી 56 બ્લેડ

ખાનગી કંપનીનો એકાઉન્ટન્ટ એક પછી એક 56 બ્લેડ ગળી ગયો. લોહીની ઉલ્ટી થવા લાગી. ત્યાર બાદ મિત્રો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે ડોક્ટરોએ સોનોગ્રાફી કરી તો તે પણ ચોંકી ગયા. તેની ગરદન પર ગંભીર ઇજાના નિશાન હતા અને પેટમાં બ્લેડ ભરાઈ ગઈ હતી. આખા શરીરમાં સોજો હતો. શરીરની અંદર ઘણી જગ્યાએ કટ લાગી ગયા હતા. 7 ડોક્ટરોની ટીમે ઓપરેશન (સર્જરી) કરીને 3 કલાકમાં પેટમાંથી તમામ બ્લેડ કાઢી નાખ્યા હતા. આ સમગ્ર મામલો જાલોર જિલ્લાના સાંચોરનો છે.

મળેલી માહિતી અનુસાર, ડેટા નિવાસી યશપાલ સિંહ (26) સાંચોરમાં બીજેપી જિલ્લા અધ્યક્ષ શ્રવણ સિંહ રાવની પાસે એસએમ રાવ ડેવલપર્સમાં એકાઉન્ટન્ટ છે. તે બાલાજી નગરમાં રૂમ લઈને 4 સાથીઓ સાથે રહે છે. રવિવારે સવારે તમામ સાથીઓ કામ અર્થે ઓફિસે ગયા હતા. યશપાલ રૂમમાં એકલો હતો. સવારે સાડા નવ વાગે યશપાલે તેના સાથીદારોને બોલાવ્યા.

જણાવ્યું કે તેમની તબિયત બગડી છે અને લોહીની ઉલટી થાય છે. તેના તરતજ સાથીઓ રૂમમાં પહોંચ્યા હતા. સવારે લગભગ 10 વાગ્યે તેમને નજીકની મનમોહન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસ બાદ તેને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ યશપાલને સાંચોરની મેડીપ્લસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ડોક્ટર નરસી રામ દેવસીએ પહેલા મેડીપ્લસ હોસ્પિટલમાં યશપાલનો એક્સ-રે કરાવ્યો ત્યાર બાદ સોનોગ્રાફી કરી અને ત્યારે તેના પેટમાં ઘણી બ્લેડ જોવા મળી હતી. આ પછી ખાતરી કરવા માટે એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. ત્યારબાદ પેટમાંથી બ્લેડ કાઢવા માટે ઈમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ડૉક્ટર નરસી રામ દેવસીના જણાવ્યા અનુસાર, જ્યારે યુવકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ઓક્સિજનનું સ્તર 80 પર હતું. તપાસમાં પેટમાં બ્લેડ હોવાની માહિતી મળી હતી. આ પછી ઓપરેશન કરીને 56 બ્લેડ કાઢી નાખવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે.

ડૉ. નરસી રામ દેવસીએ કહ્યું કે, લાગી રહ્યું છે કે યુવકને ચિંતા અથવા ડિપ્રેશન હતું, જેના કારણે તેણે બ્લેડના 3 આખા પેકેટ ખાઈ લીધા હતા. તેણે કવર સહિતની બ્લેડને 2 ભાગમાં ભાંગીને ખાઈ લીધી હતી. જેના કારણે બ્લેડ અંદર પેટમાં ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે બ્લેડ પેટ સુધી પહોંચી તો તેનું કવર ઓગળી ગયું હતું. પેટની અંદરના ભાગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેથી લોહીની ઉલ્ટી થવા લાગી હતી. અમે ઓપરેશન કરીને બ્લેડ કાઢી નાખી અને પેટમાં થયેલા ઘાની સારવાર પણ કરી છે.

યુવકને હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાની જાણ થતાં પરિવારજનો પણ તરતજ પહોંચી ગયા હતા. પરિવારજનોએ જણાવ્યું કે યુવક સાથે છેલ્લી વખત વાત કરવામાં આવી ત્યારે તે સામાન્ય હતો. પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી છે. આવી સ્થિતિમાં બ્લેડ ખાવાની બાબત આશ્ચર્યજનક છે. યશપાલે તેના પરિવારના સભ્યોને બ્લેડ ખાવાનું કારણ પણ જણાવ્યું નથી. તે આ અંગે કોઈની સાથે વાત કરવા તૈયાર નથી.

ઓપરેશન કરનાર ટીમમાં ડો.નરસીરામ દેવસી, ગાયનેકોલોજિસ્ટ ડો.પ્રતિમા વર્મા, બાળરોગ નિષ્ણાંત ડો.પુષ્પેન્દ્ર, ડો.ધવલ શાહ, ડો.શીલા બિશ્નોઈ, ડો.નરેશ દેવસી રામસીન અને ડો.અશોક વૈષ્ણવ ઉપરાંત અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *