સુરતના જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર સી એન પટેલનું કોરોનાથી દુઃખદ અવસાન

વર્તમાન સમયમાં કોરોના ખુબ જ વકરતો જઈ રહ્યો છે ત્યારે તેમની સાથે મૃત્યુઆંકની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહેલ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનું…

વર્તમાન સમયમાં કોરોના ખુબ જ વકરતો જઈ રહ્યો છે ત્યારે તેમની સાથે મૃત્યુઆંકની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહેલ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ પછી સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ ઘણા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે સુરતમાં એક પ્રોફેસરનું કોરોનાને લીધે અવસાન થયું છે.

સુરત શહેરમાં વેડરોડ નજીક અખંડ આનંદ કોલેજ આવેલી છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ કોલેજના ઘણા પ્રોફેસરો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે ત્યારે આ પ્રોફેસરોમાંથી એક પ્રોફેસરનું કોરોનાને કારણે નિધન થયું છે. જેથી સમગ્ર કોલેજના વિધાર્થીઓ, તમામ પ્રોફેસરો, પ્રિન્સીપાલ વગેરે શોકમાં ગરકાવ થયા છે.

અખંડ આનંદ કૉલેજના પ્રોફેસર ચંદ્રકાંત.એન.પટેલ સાહેબનું આજે સવારે કોરોનાને કારણે દુઃખદ અવસાન થયેલ છે. જેને કારણે સમગ્ર કોલેજમાં માતમ છવાઈ ગયો છે. ચંદ્રકાંત પટેલે 58 વર્ષની ઉમરે આજે સવારે આ દુનિયાને અલવિદા કહ્યું. પ્રોફેસર ચંદ્રકાંત પટેલ અખંડ આનંદ કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય ના અઘ્યાપક હતા. જેમના અવસાનને કારણે સમગ્ર કોલજ અને સમગ્ર વિદ્યાર્થીઓને ભારે ખોટ સર્જાણી છે.

પ્રોફેસર ચંદ્રકાંત પટેલના અવસાન પછી અખંડ આનંદ કોલેજ પરિવાર વતી પ્રિન્સિપાલ, અધ્યાપકો, બિન શૈક્ષણીક કર્મચારી તેમજ વિદ્યાર્થીઓએ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ સારા નિષ્ઠાવાન પ્રોફેસરની ખોટ અમને અચૂક વર્તાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *