હાર્ટએટેકથી વધુ એક મોત, સુરતના પરિવારે ગુમાવ્યો જુવાનજોધ દીકરો- મિત્રો સાથે બહાર જમવા ગયો પરંતુ…

ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Heart attack) ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો થઇ રહ્યો છે.…

ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Heart attack) ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.

કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ બે બનાવો સામે આવ્યો છે. એક ઘટનામાં રાધનપુરના એસટી ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે ત્યારે બીજી ઘટનામાં સુરતમાં પણ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.

સુરતમાં શનિ કાલે નામના 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. શનિ મિત્રો સાથે હોટલમાં જમવા માટે ગયો હતો. જમીને ઘરે પરત ફરતી વખતે ચાલુ બાઈકે શનિને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી મિત્રોએ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં શનિએ ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

પાટણ ખાતે આવેલ રાધનપુર ST ડ્રાઈવરનું હાર્ટએટેકથી મોત થયું છે. છેલ્લા ઘણા સમયથી રાધનપુર ST ડેપોમાં ભારમલભાઈ આહીર ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે ભારમલભાઈ સોમનાથથી રાધનપુર તરફ બસ લઈને જઈ રહ્યા હતા. તે દરમ્યાન રાધનપુરથી ફક્ત 1 કિલોમીટર બસ ચલાવતા જ તેમને અચાનક છાતીમાં દુઃખાવો શરુ થઇ ગયો હતો. જેથી તેઓ બસને પરત રાધનપુર ડેપોમાં લાવ્યા હતા.

છાતીમાં દુઃખાવો શરુ થતા તેમને સહકર્મચારીઓ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું કારણ હાર્ટએટેક જણાવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, ડ્રાઇવર સમય સૂચકતાને કરને બસમાં સ્વર લોકોનો જીવ બચી ગયો હતો. પોતાના મોત પહેલા બસ પરત ડેપોમાં લાવી મુસાફરોના જીવ બચાવ્યા હતા. ભારમલભાઈ આહીરના મૃત્યુની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. તો સહકર્મીઓમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *