એકસાથે બે પરિવારોના કુળદીપક બુઝાયા, નદીમાં નાહવા ગયેલા બે યુવકો તણાયા- ઓમ શાંતિ

હાલ હિંમતનગર (Himmatnagar)માંથી એક દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. જ્યાં સાબરકાંઠા (Sabarkantha)ના ડેમાઈ અને પ્રતાપુરા વચ્ચે આવેલી હાથમતી નદીમાં 7 કિશોરો નાહવા પડ્યા હતા, જેમાંથી…

હાલ હિંમતનગર (Himmatnagar)માંથી એક દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. જ્યાં સાબરકાંઠા (Sabarkantha)ના ડેમાઈ અને પ્રતાપુરા વચ્ચે આવેલી હાથમતી નદીમાં 7 કિશોરો નાહવા પડ્યા હતા, જેમાંથી બે કિશોરોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તથા ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી હતી. શનિવારે મોડી સાંજે તપાસ કરતા નદીમાંથી બાળકોના મૃતદેહને બહાર કાઠ્યા હતા. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારોમાં આઘાત:
નાહવા પડેલા 7 બાળકોમાંથી ડુબી ગયેલા વિરાવાડાના રહેવાસી રાવળ વિશાલભાઇ રાજુભાઇ (16) તથા વિરાવાડાના રહેવાસી વણઝારા રાહુલ કાન્તીજી (16)ના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બન્ને મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે.

નદીના પાણીમાં વહેણ હતું:
જાણવા મળ્યું છે કે, હિંમતનગર તાલુકાના ડેમાઇ તથા પ્રતાપુરા વચ્ચે પસાર થતી હાથમતી નદીમાં વહેતુ પાણી છે. શનિવારે સાંજે વિરાવાડા ગામના 7 કિશોરો નદીના પાણીમાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન અચાનક 2 કિશોરો ડૂબવા લાગ્યા હતા. જેથી બુમાબુમ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બંને કિશોરોના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યા હતા. આ પછી હિંમતનગર ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કિશોરોની શોધખોળ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *