યુક્રેનિયન સૈનિકો ગાંડા થઇ ગયા કે શું? ભારતીય વિદ્યાર્થીઓ પાસે એવું એવું કરાવ્યું કે…

Russia Ukraine News: એક ભારતીય વિદ્યાર્થીની જે રશિયન હુમલા(Russian attacks) બાદ યુક્રેનમાંથી વતન ભારતમાં પહોચેલી એક વિધાર્થીનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે યુક્રેનિયન સૈનિકો(Ukrainian…

Russia Ukraine News: એક ભારતીય વિદ્યાર્થીની જે રશિયન હુમલા(Russian attacks) બાદ યુક્રેનમાંથી વતન ભારતમાં પહોચેલી એક વિધાર્થીનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે યુક્રેનિયન સૈનિકો(Ukrainian soldiers)એ પોલેન્ડ(Poland)માં પ્રવેશતા પહેલા વિચિત્ર વર્તન કરીને તેના જેવા ઘણા તબીબી વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કર્યા હતા. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, આ વિદ્યાર્થીઓ, જેઓ પોતાનો જીવ બચાવવા અને ભારત પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમને યુક્રેનિયન સૈનિકોએ “કઠપૂતળીની જેમ” ઉપયોગ કરતી વખતે ક્યારેક હસવા અને તાળીઓ પાડવા માટે કહ્યું હતું.

આ વિદ્યાર્થી યુક્રેનની ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે. તેમણે ઈન્દોરના દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે 50-60 મેડિકલ વિદ્યાર્થીઓએ 26 ફેબ્રુઆરીએ ટેર્નોપિલ શહેરથી પોલેન્ડના બહારના વિસ્તારમાં પહોંચવા માટે ભાડે બસની વ્યવસ્થા કરી હતી. પરંતુ રસ્તામાં ભારે ટ્રાફિક જામ અને અવ્યવસ્થાના કારણે અમને આ બોર્ડરથી 45 કિલોમીટર દૂર ઉતારવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીએ કહ્યું કે, મેડિકલ સ્ટુડન્ટ્સ, થીજી ગયેલી ઠંડી સામે ઝઝૂમીને, પગપાળા પોલેન્ડ સરહદે પહોંચ્યા, પરંતુ ત્યાં તૈનાત યુક્રેનિયન સૈનિકોએ તેમને તરત જ સરહદી ચોકી પાર કરવાની મંજૂરી આપી ન હતી. વિદ્યાર્થીએ કહ્યું કે, “યુક્રેનિયન સૈનિકો અમને ઊભા રહેવા માટે કહેતા હતા, ક્યારેક બેસવા માટે, કઠપૂતળી તરીકે ઉપયોગ કરતા હતા. તેણે અમને તાળીઓ પાડવા અને હસવા માટે પણ કહ્યું હતું. “તેમણે, જો કે, પછીથી, ગર્લ સ્ટુડન્ટ્સને પ્રાધાન્ય આપીને, મેડિકલ સ્ટુડન્ટ્સને પોલેન્ડની સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જે પછી તેઓ ભારત સરકારના “ઓપરેશન ગંગા” હેઠળ પહોંચી શકે.

યુક્રેનથી પોલેન્ડ થઈને ભારત પરત આવેલા અન્ય એક મેડિકલ સ્ટુડન્ટે જણાવ્યું હતું કે, “યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અમને ઘરે પાછા ફરવા માટે એડવાઈઝરી જારી કરી હતી. પરંતુ તે સમયે યુક્રેનની અમારી યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ અભ્યાસ ચાલી રહ્યો હતો અને અમે યુનિવર્સિટીની પરવાનગી વિના ભારત આવી શક્યા ન હતા.” અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનમાં અભ્યાસ કરતા છ મેડિકલ વિદ્યાર્થીઓ, જેમાં બંને વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે, ઘરે પરત ફર્યા બાદ ઈન્દોર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓ ઈન્દોર, ઉજ્જૈન અને ઝાબુઆ જિલ્લાના રહેવાસી છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ઈન્દોર એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ ભાવુક થઈ ગયા હતા. ઈન્દોરના સાંસદ શંકર લાલવાણી અને ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજિયાએ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારાઓ વચ્ચે ગુલદસ્તો આપીને આ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *