ગમખ્વાર અકસ્માત: હરિદ્વાર જઈ રહેલા ચાર જીગરજાન મિત્રોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’

મંગળવારેના રોજ દિલ્હી-દેહરાદૂન હાઇવે(Delhi-Dehradun Highway) પર એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં ચાર જીગરજાન મિત્રોના કરુણ મોત થયા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.…

મંગળવારેના રોજ દિલ્હી-દેહરાદૂન હાઇવે(Delhi-Dehradun Highway) પર એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં ચાર જીગરજાન મિત્રોના કરુણ મોત થયા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે. પૂરપાર ઝડપે જઈ રહેલ સફારી રોડ કિનારે એક ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા. આ લોકો ગંગા સ્નાન માટે ગુરુગ્રામ(Gurugram)થી હરિદ્વાર(Haridwar) જઈ રહ્યા હતા.

કારમાં સવાર છ મિત્રોમાંથી ચારના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. પોલીસે લોકોની મદદથી માંડ માંડ ઘાયલોને બહાર કાઢ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ચારનાં મોત નીપજ્યાં હતાં. બે ઘાયલોને મેરઠ રેફર કરવામાં આવ્યા હતા, જેમાંથી એક યુવકની હાલત વધુ નાજુક હોવાનું કહેવાય છે.

પરિવારજનોએ પોલીસને જાણ કરતાં હોબાળો મચી ગયો હતો. રડતા રડતા સ્વજનો શહેરમાં પહોંચ્યા અને બાળકોની હાલત જોઈને ભાંગી પડ્યા. પોલીસે પંચનામા ભરીને ચારેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા, જ્યારે ઘાયલોના સ્વજનોને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.

સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર બિજેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે, મંગળવારે ગુરુગ્રામના છ મિત્રો સફારી કારમાં ગંગા સ્નાન માટે હરિદ્વાર જઈ રહ્યા હતા. સવારે 3.30 વાગ્યે કાર પરથી કાબુ ગુમાવતા રસ્તાની બાજુની ઝૂંપડી અને પોલાણ તોડીને ઝાડ સાથે અથડાઈ હતી અને કારનો ભુક્કો બોલી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *