હવામાન વિભાગની મોટી આગાહી- 14 અને 15 તારીખે કેવો રહેશે પવન, પતંગપ્રેમીઓ ધાબે ચડતા પહેલાં વાંચી લેજો આ સમાચાર

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) હજુ 48 કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી…

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) હજુ 48 કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી (Forecast) કરી છે. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે મકરસંક્રાતિના દિવસે વાતાવરણ કેવું રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? શું આસાનીથી પતંગ ચગાવી શકાશે. તો તમને કહી દઈએ કે આ વર્ષે વાતાવરણ ઉત્તરાયણમાં પતંગરસિયાઓને મજા પડશે.

ત્યારે આજે અમે તમને જણાવીશું કે ઉતરાયણ (uttarayan) ના દિવસે વાતાવરણ કેવું રહેશે. હવામાન સૂત્રોની આગાહી (Forecast) અનુસાર ઉતરાયણનો દિવસ ઉતરાયણ ના રસિયાઓ માટે સારો રહેશે. આગાહી અનુસાર ઉત્તરાયણના દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો જ જોવા મળશે. તે દિવસે એવરેજ 8-10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના કરવામાં આવી છે. પતંગ રસિયાઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન સૂત્રોની આગાહી અનુસાર ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તરાયણના દિવસે ઉત્તર પૂર્વનો પવન રહેવાની સંભાવના કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે સવારમાં પવનની ગતિ થોડી ઝડપી જોવા મળશે. 10 થી 12 કિમીની ઝડપે બપોર સુધી પવન ફૂંકાશે. બપોર બાદ ધીમો પડશે. રાતે ફરીવાર પવનની સ્પીડ વધશે.

ચાલો આપને જાણીએ કે વાસી ઉત્તરાયણ 15 મી જાન્યુઆરીના દિવસે પવન કેટલી ઝડપે ફૂંકાશે. 15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. આગાહી અનુસાર સવારથી બપોરના સુધી પવન રહેશે. ત્યારે રાતે ફરી વાર પવનની ગતિ વધતી જોવા મળશે. તે ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *