યોગ ગુરુ બાબા રામદેવે ડોકટરો સામે ફરી છેડ્યો વિવાદ, કહ્યું કે ‘મેડીકલનો સિલેબસ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે’

યોગ ગુરુ બાબા રામદેવ સતત વિવાદોમાં આવતા રહે છે અને વિવાદોથી ઘેરાયેલા રહે છે. ત્યારે હવે બાબા રામદેવ ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. ગાઝીયાબાદમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સેન્ટરના ઉદઘાટન સમયે બાબા રામદેવે કહ્યું હતું કે, ડોકટરોને જે પણ અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે તે દેશમાં ડ્રગ માફીયાઓને તૈયાર કરી રહ્યા છે તેમ કહી શકાય છે. તેમને એલોપેથીમાં એવિડન્સ બેઝડ રિસર્ચ કહેવામાં આવે છે.

યોગ ગુરુ બાબારામદેવે એલોપેથી અંગે ફરી વિવાદ છેડ્યો છે. રામદેવે એલોપેથીના અભ્યાસક્રમનને ડ્રગ ઈન્ડસ્ટ્રીનો સિલેબસ ગણાવીને એક નવો વિવાદ છેડ્યો છે. રામદેવે જણાવતા કહ્યું છે કે, આગામી છ મહિના માટે હરદ્વારના પતંજલિ યોગપીઠમાં ભણવા માટેની જગ્યા જ નથી રહી. કારણ કે હવે આર્યુવેદિક અભ્યાસની માંગ વધી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ બાબા રામદેવે ડોકટરો સામે પણ એક વિવાદ છેડ્યો હતો. આ વિવાદ અંગે તેમની સામે અલગ અલગ રાજ્યોમાંથી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. જયારે સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવ સામે પીટીશન પણ દાખલ થઇ ચુકી છે.

સાથે બાબા રામદેવે અલગ અલગ રાજ્યોમાં થયેલી પોલીસ ફરિયાદોને દિલ્હી ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી છે. આ વિવાદ અંગે દિલ્હી મેડીકલ એસોસિએશને તેમનો વિરોધ કર્યો છે. મેડિકલ એસોસિએશને માંગ કરી છે કે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહિ. અરજીમાં લખવામાં આવ્યું છે કે, બાબા રામદેવે એલોપેથીની ઈમેજ ખરાબ કરી છે કારણ કે તેમની કોરોનિલ દવાનુ વેચાણ વધારી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *