મેઘરજમાં યુવતીનું અપહરણ કરી નરાધમોએ પાર કરી હેવાનિયત, મોતને ઘાટ ઉતારી ઝાડ સાથે લટકાવી દીધી

હત્યા(Murder) તેમજ આપઘાતના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. એવામાં વધુ એક ચકચારી હત્યાના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય યુવતીનું અપહરણ…

હત્યા(Murder) તેમજ આપઘાતના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. એવામાં વધુ એક ચકચારી હત્યાના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય યુવતીનું અપહરણ કર્યા બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. તેમજ લાશને ગળા ફાંસો ખાધેલી હાલતમાં ઝાડ સાથે લટકાવી દેવામાં આવી હતી. આ અંગે મૃતકના પિતા દ્વારા પોલીઉસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે 4 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

મનીષા મેઘરજ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી: 
મેઘરજના બેડઝના ડુંગર ઉપરથી મોટીપંડુલીની રહેવાસી 21 વર્ષીય યુવતી મનીષાબહેન જયંતીભાઇ ડેડુણ મેઘરજ કોલેજમાં આર્ટસ વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત તા.14-06-2022ના રોજ આશરે 11 વાગે મનીષાબહેન મેઘરજ બજારમાં ઝેરોક્ષ કઢાવવા, ફોટા પડાવવા તેમજ સાડીઓને ઇન્ટરલોક કરાવવા ગઇ હતી.

આ દરમિયાન મેલડી માતાના મંદિર નજીક મેઘરજ પંચાલ રોડ ઉપર યુવતીના પિતાના સંબંધી ડુંગરપુરે જીલ્લાના વિછીવાડા તાલુકાના વિરપુર ગામના રહેવાસી કિરણભાઇ મનહરભાઇ ભગોરા બપોરે બે વાગ્યાના અરસામાં મનીષાબહેનને ચાલતી મેઘરજ માર્કેટયાર્ડના પાછળના ભાગના રસ્તે થઇને જતા જોઇ હતી.

યુવતીને બાઇક પર બેસાડી ગેલીમાતા તરફ લઇ ગયા:
તે જ સમયે બે બાઇક ચાલકો અને તેઓની બાઇકની પાછળ બીજા એક-એક વ્યક્તિઓ બેસેલ હતા. જે 4 શખ્સો પૈકી વાઘપુર ગામના રહેવાસી જીતેન્દ્રભાઇ ભીખાભાઇ અસારી, ઢીંમડા ગામના રહેવાસી જીતેન્દ્રભાઇ ધનાભાઇ બરંડા આ બંને હતા. જેમાંથી જીતેન્દ્રભાઇ ભીખાભાઇ અસારીએ મનીષાને લાફો મારી દીધો હતો અને જીતેન્દ્રભાઇ ધનાભાઇ બરંડાએ મનીષાને માથાના પાછળના ભાગે પાઇપ મારતાં યુવતી જમીન પર પડી જતા બંને ચાલકોએ મનીષાબેનને બાઇક પર બેસાડી ગેલીમાતા તરફ લઇ ગયા હતા. આ સમગ્ર ઘટના કિરણભાઇએ જોઈ હતી.

કિરણે ઘરે આવીને યુવતીના પિતાને વાત કરી હતી:
આ સમગ્ર બનાવ કિરણભાઇએ જોયો હોવાને કારણે કિરણભાઇ મનીષાને બચાવવા તેમની સાથે ભરતભાઇ તેમજ રમણભાઇને લઇને તે નરાધમોની પાછળ ગયા હતા. આ દરમિયાન તે 4 શખ્સો મનીષાબેનને બાઇક ઉપર બેસાડી મેઘરજમાં રિલાયન્સ પેટ્રોલપંપ આગળ વનકુટીર નજીક લઇ જતા હતા. એ વખતે કિરણભાઇ તથા તેમના સાથીદારોએ બાઇકચાલકોએ તેમની બાઇક ઉભી રાખવી હતી, પરંતુ તે નરાધમોએ છુટા પથ્થરો ફેંકતા કિરણભાઇ તથા ભરતભાઇ પાછા આવી ગયા હતા.

બેડઝની સીમમાં ડુંગરની કોતરોમાં મહિલાની લાશ લટકેલી મળી:
આ સમગ્ર બાબત કિરણભાઇએ પરત ફરી યુવતીના પિતાને જણાવી હતી. તેથી યુવતીના પિતા યુવતી સાથે થયેલી ઘટનાનાની ફરિયાદ કરવા મેઘરજ આવવા નીકળ્યા હતા. તે વખતે તેમના વેવાઇ સોમાભાઇ જીવાભાઇ અસારી પાસેથી જાણવા મળ્યું કે બેડઝની સીમમાં ડુંગરની કોતરોમાં મહિલાની લાશ ઝાડ સાથે લટકેલી હાલતમાં છે.

આ લાશના મોબાઇલમાં ફોટો બતાવતા ફોટા મનીષાબેનના હોવાથી મૃતકના પિતા મેઘરજ પોલીસની સાથે બેડઝની સીમમાં ડુંગરની કોતરોમાં જઈ લાશ ઓળખી બતાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા વાઘપુર ગામના રહેવાસી જીતેન્દ્રભાઇ ભીખાભાઇ અસારી તથા ઢીંમડા ગામના રહેવાસી જીતેન્દ્રભાઇ ધનાભાઇ બરંડા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *