બે દિવસ પછી લગ્ન હતા ને, આજે તળાવમાંથી મળ્યો દુલ્હનનો મૃતદેહ… નવસારીની આ ઘટનાથી રાજ્યભરમાં ખળભળાટ

ગુજરાત(Gujarat): નવસારી(Navsari)ના ચીખલી(Chikhli) તાલુકાના તલાવચોરા(Talavchora) ગામની 22 વર્ષની યુવતી પ્રિયંકા ઘીરૂભાઈ આહિરનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ચીખલી પોલીસ દ્વારા યુવતીના મૃતદેહનો કબ્જો લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવતી BSCનો અભ્યાસ કર્યો છે અને તેના આગામી 23 મી ફેબ્રઆરીના રોજ લગ્ન હતા. જોકે, તે પહેલાં જ યુવતીનું ભેદી સંજોગોમાં મોત થતા ફફડાટ મચી જવા પામ્યો છે. લગ્ન પહેલાં જ યુવતીનો મૃતદેહ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન સરખી ગઈ છે.

સમગ્ર ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. હાલમાં તો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, યુવતીની હત્યા થઈ છે કે તેણે આપઘાત કર્યો છે? એ અંગે હાલમાં તો કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થઈ નથી. પોલીસને યુવતીનો ફોન મળી આવ્યો છે. જેં ફોર્મેટ મારેલો હોવાનું પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે.

હાલમ તો પોલીસ માટે પણ આ ઘટના હત્યા છે કે આપઘાત તે અંગેની માહિતી નથી. વધુ તપાસ બાદ જાણવા મળશે કે, યુવતીએ કોઈના દબાણને કારણે આપઘાત કરી લીધો છે કે, કોઈએ તેની હત્યા કરી છે. હાલમાં તો યુવતીના પરિવારમાં ચકચાર મચી જવા પામી છે, કારણ કે, 23 મી ફેબ્રઆરીના રોજ તેની દીકરી લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *