ગરીબોના પૈસા ખાઈ રૂપાણી સરકારે આચરેલા 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ, હાર્દિક અને મેવાણી ઉતર્યા મેદાને- જુઓ LIVE વિડીયો

ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગા યોજનાનું કામ-કાજ હાલમાં ચાલુ છે. આ દરમ્યાન, હાલમાં જ મનરેગાના કામમાં 10 કરોડના મસમોટા કૌભાંડનો આક્ષેપ થયો છે.…

ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગા યોજનાનું કામ-કાજ હાલમાં ચાલુ છે. આ દરમ્યાન, હાલમાં જ મનરેગાના કામમાં 10 કરોડના મસમોટા કૌભાંડનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમજ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બાલિન્દ્રામાં મનરેગાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું કે મનરેગામાં કામ ન કર્યું હોય તેવા લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા છે. એટલું જ નહિં તેમના જોબકાર્ડ પણ બની ગયા છે. બીજી તરફ જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, ટીડીઓની સહીથી ભૂતિયા જોબકાર્ડ ધારકોને પેમેન્ટ પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાનું કૌભાંડ 50 કરોડનું હોવાનો આક્ષેપ તેમણે કર્યો.

જાણો શું કહ્યુ હાર્દિક પટેલે?

હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ આજરોજ એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, સમૃદ્ધ ગુજરાતમાં મનરેગાનું રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે. અને મનરેગા હેઠળ ગરીબોના રૂપિયા લઈ લેવાય છે. બનાસકાંઠાના લોકો સાથે કૌભાંડ આચરાયું છે. હાર્દિક પટેલે કહ્યું કે, લોકોના બેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાય છે. અને ભાજપ સમર્થક સરપંચ અને TDO દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક ગામમાંથી 50થી 100 લોકોના ખોટા એકાઉન્ટ અને જોબકાર્ડ બન્યા છે.

જિગ્નેશ મેવાણીના રૂપાણી સરકાર પર પ્રહાર

હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ આજરોજ એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં જિગ્નેશ મેવાણીએ રૂપાણી સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું કે, મનરેગા યોજના અંતર્ગત 200થી 250 દિવસ કામ અપાય છે. અને કોરોનાના કારણે દેશમાં 16 થી 22 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે હાલમાં 100 દિવસ જ કામ આપવામાં આવે છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, બનાસકાંઠાના 300 ગામોમાં મનરેગાનું કૌભાંડ ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *