દીકરીના જન્મદિને જ પિતાએ કેનાલમાં પડી આપઘાત કર્યો- શું થયું હતું તે દિવસે…

થરાદ(Tharad): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકો નજીવી બાબતે જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ આવી જ વધુ…

થરાદ(Tharad): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકો નજીવી બાબતે જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં થરાદની થાણાશેરીમાંથી બે દિવસ પહેલાં એક પરિણીત યુવક એકાએક ગુમ થતાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે શોધખોળ દરમિયાન શનિવારે સવારે થરાદ મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

સંયમકુમાર પ્રકાશભાઇ જૈન થરાદ તાલુકાના ડેલના રહેવાસી હતા. તેઓ પરિણીત હતા. ત્યારે એક દિવસ તેઓ એકાએક ઘરેથી ગુમ થઈ ગયા હતા. જેને પગલે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં પણ તો મળી આવ્યા ન હતા. જયારે બીજી તરફ થરાદ પાલિકાને શુક્રવારે સાંજે 6-30 વાગ્યા આસપાસ થરાદ મુખ્ય કેનાલમાં ઢીમા પુલ નજીક ડેલનો અને હાલ થરાદમાં રહેતા યુવકે ઝંપલાવ્યું હોવાની માહિતી મળી આવી હતી.

મળેલી માહિતીના આધારે નગરપાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડ અને ટીમ દ્વારા મોડે સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં થરાદના ચુડમેર પુલ નજીક કોઈ યુવકનો મૃતદેહ તરતો હોવાનું જાણવા મળ્યું હતું. તેથી ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન તે મૃતદેહ થરાદમાંથી ગુમ થયેલા યુવક સંયમકુમારનો હોવાનું જાણવા મળ્યું હતું. આથી મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

જોકે યુવકના મૃત્યુનુ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. પરંતુ પુત્રીના જન્મદિવસની ઉજવણી બાબતે દંપત્તિ વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે યુવકે આવું પગલું ભર્યાનુ સામે આવ્યું છે. યુવકે આપઘાત કરી લેતા તેના બંને બાળકો તેમજ પત્ની નોધારા બન્યા છે. હાલ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *