રક્તરંજિત થયો રાજકોટ-જામનગર હાઇવે; લગ્નમાં જતા પરિવારને ભરખી ગયો કાળ, સાસુ-જમાઈ સહિત એક બાળકનું મોત

Rajkot-Jamnagar Highway: ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. વધુ એક અકસ્માતની ઘટના જામનગર-રાજકોટ હાઇવે પરથી સામે આવી છે. એક પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો અને અકસ્માતના કારણે અધવચ્ચે જ પરિવારનો માળો વિખાઈ ગયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે સાસુ અને જમાઇનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યા હતા.

અન્ય ત્રણ લોકોને આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોચી છે તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ અકસ્માત જામનગર-રાજકોટ હાઇવે પર સર્જાયો હતો અને અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયાં હતાં.

મળેલી માહિતી અનુસાર રાજકોટનો એક પરિવાર લગ્ન પ્રસંગમાં મોડી રાત્રે જઇ રહ્યો હતો. ધ્રોલથી આગળ આવેલા જાયવા ગામ પાટિયા પાસે આશાપુરા હોટલ સામે આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલુ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે પર જ કારમાં સવાર પાંચ પૈકી બે લોકોનાં મોત થયાં હતાં. ત્રણ લોકોને ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એક બાળકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, મૃતકોમાં સાસુ-જમાઈ અને એક બાળકનો સમાવેશ થાય છે.

આ દુર્ઘટનામાં એક બાળક અને એક વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયાં હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

માહિતી અનુસાર, મૃતકોમાં એક બાળક, સાસુ અને જમાઈનો સમાવેશ થાય છે. ત્યારે  એક બાળક અને એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘટનાની જાણ પોલીસને થતા તરતજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *