પંજાબમાં પંજા પર ફરી વળ્યું ઝાડું- 500 કાર લઈને કુમાર વિશ્વાસના ઘરે પહોચ્યા ‘આપ’ નેતા

પંજાબ(Punjab): હાલમાં કુમાર વિશ્વાસ(Kumar Vishwas) દ્વારા પંજાબમાં મતદાન પહેલા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ AAP નેતા નરેશ બાલિયાન(Naresh Balian) આજે કુમાર વિશ્વાસના ઘરે પહોંચ્યા હતા. એક સમયે અરવિંદ કેજરીવાલના મિત્ર અને AAPનો ભાગ રહી ચૂકેલા કુમાર વિશ્વાસને તાજેતરના વર્ષોમાં ઘણી વખત પાર્ટીને નિશાન બનાવતા જોવા મળ્યા છે.

પંજાબ ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલ પર ખાલિસ્તાન તરફી હોવાનો વ્યાપક આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે ભારે હોબાળો થયો હતો. વિવાદ બાદ AAP નેતા અને ધારાસભ્ય નરેશ બાલ્યા કુમાર વિશ્વાસના ઘરે ગયા અને તેમને મીઠાઈ ખવડાવવાનું કહ્યું. આજે જ્યારે પરિણામ AAPની તરફેણમાં આવ્યા તો બાલ્યાન ગાઝિયાબાદમાં કુમાર વિશ્વાસના ઘરે પહોંચ્યા.

આ પછી તેણે ટ્વિટ કર્યું કે, ‘હું કવિના ઘરે મીઠાઈ ખવડાવવા આવ્યો છું. તે 500 પોલીસકર્મીઓની સુરક્ષામાં ઘરમાં છે અને કહે છે કે, તે ત્યાં નથી. કવિ, તું જુનો મિત્ર છે, તમને મીઠાઈ ખવડાવવી છે. અમે તમારા ઘરની બહાર છીએ. રાહ જોઈ રહ્યા છીએ, કવિએ બહાર આવવું પડશે.

જ્યારે આખો વિવાદ ત્યારે સર્જયો હતો ત્યારે પંજાબમાં ગયા મહિને મતદાનના થોડા દિવસો પહેલા કુમાર વિશ્વાસ દ્વારા અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પંજાબમાં અલગાવવાદીઓના સમર્થક છે. એટલું જ નહીં, વિશ્વાસે એવો પણ દાવો કર્યો હતો કે કેજરીવાલે એક વખત તેમને કહ્યું હતું કે તેઓ સ્વતંત્ર રાષ્ટ્રના પ્રથમ વડાપ્રધાન બનશે.

કુમાર વિશ્વાસે જણાવ્યું કે, કેજરીવાલને અલગાવવાદીઓની મદદ લેવામાં કોઈ સંકોચ નથી. કુમાર વિશ્વાસના કહેવા મુજબ, તેમણે આ માટે કેજરીવાલને ના પાડી પણ દીધી હતી. પરંતુ, તેમને કોઈ વાંધો નહોતો. કુમારના મતે અરવિંદ કેજરીવાલ કોઈપણ સંજોગોમાં સત્તા ઈચ્છે છે. કેજરીવાલ અને કુમાર વિશ્વાસ એક સમયે ગાઢ મિત્રો હતા. 2012માં અન્ના આંદોલન દરમિયાન કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલની સાથે હતા. આંદોલન ખતમ થયા બાદ આમ આદમી પાર્ટીની રચનામાં પણ કુમાર વિશ્વાસે મહત્વની ભૂમિકા ભજવી હતી. બાદમાં કુમાર વિશ્વાસ દ્વારા પાર્ટી છોડી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *