કરોડોનો બિઝનેસ અને સંસારની દરેક મોહમાયા છોડી આ ગુજરાતી પરિવારે અપનાવી લીધો સંયમનો માર્ગ

ગુજરાત(Gujarat): પોતાના જીવનમાં પૈસા કમાવવા અને સારું જીવન જીવવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. જ્યારે વ્યક્તિ આ બધાથી દૂર થઇ છે ત્યાએ તેમની વૈરાગ્યની ભાવના વિકસિત થઈ જાય છે અને ત્યારે તે લોકો બધું છોડીને ધર્મના માર્ગે આગળ વધે છે.

તે લોકોને ત્યારે બધીજ સાંસારિક વાતો વ્યર્થ લાગે છે. તે લોકો ત્યારે પોતાની મહેનતથી કમાયેલી સંપત્તિ છોડવા માટે પણ તૈયાર થઈ જાય છે. ગુજરાતના એક વેપારી પરિવારે આવું જ કંઈક કર્યું છે. અહિંસામાં પોતાના મૂળ વિશ્વાસ માટે જૈન ધર્મ જાણીતો છે.

ઘણા આ ધર્મના અનુયાયીઓ સ્વેચ્છાએ તેમના પરિવારને ત્યાગીને સિદ્ધાંતોના માર્ગને અનુસરવા માટે આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધે છે. ગુજરાત રાજ્યમાં આવેલા ભુજના એક પરિવારે આવુજ કંઈક કર્યું છે.

ગુજરાત રાજ્યમાં આવેલા ભુજમાં જૈન ધર્મના લોકોની ખુબજ મોટી વસ્તી છે. ભુજમાં રહેતા એક પરિવારે પોતાનો લાખો રૂપિયાનો બિઝનેસ છોડીને સંન્યાસ લેવાનું નક્કી કર્યું છે. ભુજના વગડા વિસ્તારના અજરામર સંપ્રદાયના લોકો છે.

મુમુક્ષ પિયુષ કાંતિલાલ મહેતા, તેમનો પુત્ર મેઘકુમાર અને ભત્રીજા કૃષ્ણકુમાર નિકુંજ અને તેમના પત્ની પૂર્વીબે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ તમામ શ્રી કોટી સ્થાનકવાસી જૈન સંઘ હેઠળ વિધિવત ભગવતી દીક્ષા લેવાના છે. આ દીક્ષાના પ્રસંગે ભવ્ય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મહાસતીજીની હાજરીમાં જયારે પિયુષભાઈ પૂર્વીબેનના પત્નીએ નિવૃત્તિનો મુશ્કેલ માર્ગ અપનાવવાનું નક્કી કર્યું ત્યાર બાદ તેમના પુત્ર મેઘકુમાર, પતિ પિયુષભાઈ અને પિતરાઈ ભાઈ ક્રિશે પણ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું.

પિયુષભાઈ ભુજમાં રેડીમેડ કપડાનો જથ્થાબંધ બિઝનેસ કરે છે અને તેની વાર્ષિક ટર્નઓવર કરોડોમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા રામવાવ પરિવારના 19 સભ્યો પણ દીક્ષા લઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *