ડીસામાં કેજરીવાલની સભા પહેલાં પોસ્ટર ફાડી સળગાવ્યાં… AAPના ઉમેદવારે કહ્યું ‘ઈંટનો જવાબ પથ્થરથી આપીશું’

ડીસામાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભા યોજાય તે પહેલાં જ પોસ્ટર ફાડીને સળગાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ…

ડીસામાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભા યોજાય તે પહેલાં જ પોસ્ટર ફાડીને સળગાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગઈકાલની મોડી રાત્રે પોસ્ટરો સળગાવતાં આપના કાર્યકર્તાઓએ ઘટનાસ્થળે પહોંચી ધરણાં પર બેસી ભાજપ સરકાર પટ આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે ‘આપ’ના ઉમેદવાર ડો. રમેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ‘હવે ભાજપ જો આવી હરકત કરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવાની ખાતરી આપું છું. આમ આદમીના કાર્યકર્તા આ મામલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ડીસામાં લાગેલ પોસ્ટર પર ”હિંદુ ધર્મના વિરોધને ગુજરાતમાં કોઈ સ્થાન નથી” તેવું લખાણ લખીને વિરોધ કરવામાં આવ્યું હતું. ગોપાલ ઈટાલીયા જયારે આમ આદમી પાર્ટીમાં ન હતા તે પહેલાના વિડીયો હાલમાં સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જે વિડીયોને આધારે ગોપાલ ઈટાલીયાને હિંદુ વિરોધી દર્શાવી વિરોધ કરવામાં આવી રહ્યું છે.

ડીસામાં આજે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની જાહેર સભા યોજાઈ હતી. એ પહેલા જ મોડી રાત્રે ડીસા શહેરના માર્ગ ઉપર લગાડેલા અરવિંદ કેજરીવાલનાં પોસ્ટરો ફાડીને સળગાવી દેવામાં આવ્યા હતાં. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં AAPના ઉમેદવાર ડો. રમેશ પટેલ અને ભેમાભાઈ ચૌધરી સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બનાવ અંગેની પોલીસને કરતાં ડીસા ઉત્તર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આક્રોશ વ્યકત કરીને આક્ષેપ લગાવ્યા હતા કે આ પોસ્ટરો ભાજપના કાર્યકર્તાઓએ જ ફાડયા છે. ભાજપના લોકો દ્વારા મોડી રાત્રે પોસ્ટરો ફાડીને સળગાવી દેવાતાં AAPના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

આ બનાવ અંગે ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે, રાત્રે 2:00 વાગે ઊઠીને ભાજપના કાર્યકરોએ પોસ્ટર ફાડી દેવા પડે એ તેમની 27 વર્ષના શાસનની નિષ્ફળતા છે. ભાજપે આવી હરકત કરતાં શરમ આવવી જોઈએ અને હવે જો ભાજપ દ્વારા આવી હરકત કરવામાં આવશે તો અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું એની ખાતરી આપું છું. છેલ્લે એ પણ વિનંતી કરું છું કે ભાજપ પાસે બીજાં કોઈ કામ બચ્યાં નથી એટલે તેમના આકાઓના લેંઘા-ઝભ્ભા ધોવાના હોય એ ધોઈ નાખો, કારણ કે 2 મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *