છેલ્લાં એક વર્ષ કરતા પણ વધુ સમયથી દેશમાં ખેડૂતોનું મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં આજે ખેડૂતો દ્વારા ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
ભારત બંધ સવારનાં 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી:
સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે ભારત બંધ સવારનાં 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી રહેશે. આવા સમયમાં જો તમે ગુરગાવ અથવા તો નોઈડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો આપને રજોકરી બોર્ડરથી અવોઈડ કરવું પડશે.
ભારત બંધને બદલે દિલ્હી ગુરગાવ બોર્ડરની સાથે જ નોઈડા પર ખુબ જામ લાગી ગયો છે. જામને બદલે વાહન ચાલક કલાકો સુધી ફસાયેલા રહેશે. ગુરુગ્રામ જવાના માર્ગમાં રજોકરી બોર્ડર પર ખુબ લાંબો જામ જોવા મળ્યો છે. સંયુક્ત ખેડૂત મોર્ચાના આહ્વાન પર સિંધુ બોર્ડર પર પ્રદર્શનકારી ધરણા કરી રહ્યા છે.
બિહારમાં વૈશાલી-આરામાં RJDના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા:
બિહારમાં ડાબેરીઓની સાથે મહાગઠબંધન, RJD અને કોંગ્રેસે ભારત બંધને ટેકો આપ્યો છે કે, જેમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા પ્રશ્નો પણ ઉમેરવવામાં આવ્યા છે. જેમ કે, રોજગારીના વચનનો પ્રશ્ન, યોજનામાં કૌભાંડનો પ્રશ્ન, જાતિ વસ્તી ગણતરીનો પ્રશ્ન વગેરે સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.