સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ- હનુમાનજી મહારાજને ભગવાન સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવતાં વિરોધ

Controversy over murals of Hanumanji in Salangpur temple’: હાલ બોટાદ સ્થિત સાળંગપુર મંદિરમાં ભગવાન રામના બકત અને બધા ભાવી ભક્તોના પ્રિય સાળંગપુર મંદિરમાં બનાવેલી “કિંગ…

Controversy over murals of Hanumanji in Salangpur temple’: હાલ બોટાદ સ્થિત સાળંગપુર મંદિરમાં ભગવાન રામના બકત અને બધા ભાવી ભક્તોના પ્રિય સાળંગપુર મંદિરમાં બનાવેલી “કિંગ ઓફ સાળંગપુર”ના નામથી જાણીતા એવા હનુમાનજી મહારાજીના ભીંતચિત્રોને લઈને એક વિવાદ સર્જાયો છે.ત્યારે હવે આ વિવાદને(Controversy over murals of Hanumanji in Salangpur temple) લઈને હવે સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા છે. હરી આનંદ બાપુએ આ ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે, આ પ્રકારના ચિત્ર અંગે સંત સમાજ આક્રોશમાં છે.

સ્વામીનું એવું કહેવું એવી છે કે,સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવું કામ ન કરવું જોઈએ. તો જૂનાગઢ રૂદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે,આવા ઢોંગી સાધુ જે ધર્મના માંચડા ખોલીને બેઠા છે, તેના કારણે અંદરોઅંદરના વિવાદથી વિધર્મીઓને પણ આનંદ થાય છે. તેથી આવા કૃત્ય કરનારને માફી નહીં મળે.

સાળંગપુરમાં હનુમાનજીના નિંદાપાત્ર મૂક્યા છે ચિત્રોઃ હરી આનંદ સ્વામી
સાળંગપુર મંદિરના પરિસરમાં સ્વામીનારાયણ ભગવાનની સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા ઘણા વિવાદ સર્જાયા છે.જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે.સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે મહંત હરી આનંદ બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.

પહેલા ભૂલો કરે અને પછી કહે હું માફી માંગુ છુંઃ ઈન્દ્રભારતી બાપુ
ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી નથી લાગી રહ્યું. આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુઃખ લાગી રહ્યું છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતથી વાત કરવામાં આવે તો, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે.

સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં લોકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *