રાહુલ ગાંધી અને RBIના પૂર્વ ગવર્નર વચ્ચે ચર્ચા: જાણો મોદી સરકારને શું આપી સલાહ

Lockdown ને લીધે દેશની અર્થવ્યવસ્થા આ સમયે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. આ ચેલેન્જ સામે લડવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશેષજ્ઞનો સાથે…

Lockdown ને લીધે દેશની અર્થવ્યવસ્થા આ સમયે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. આ ચેલેન્જ સામે લડવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશેષજ્ઞનો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે. આ કડીમાં તેઓ ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા કરી રહ્યા છે.

આ ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આજે લોકોના મગજમાં ઘણા પ્રકારના સવાલ છે, આ વાઇરસ ના કહેર વચ્ચે અર્થવ્યવસ્થાને લઈને ખૂબ ચિંતા છે. એવામાં આ ચેલેન્જ સામે કઈ રીતે લડવું તેને લઈને શું સલાહ હોય શકે, રઘુરામ રાજને કહ્યું કે આ વખતે આ સમયે ગરીબોની મદદ કરવાની જરૂર છે, જેના માટે સરકાર લગભગ ૬૫ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.

રાહુલ ગાંધીની આ ચર્ચામાં અર્થવ્યવસ્થા, નોકરી,કોરોના સંકટ બાદ તેનાથી કઈ રીતે ઉપર આવી શકાય અને સરકારે શું પગલા લેવા જોઈએ તેની સલાહ લીધી. જણાવી દઈએ કે રઘુરામ રાજન 2013 થી 2016 સુધી રિઝર્વ બેન્કના ગવર્નર રહી ચૂક્યા છે.

ઘણીવાર તેઓ મોદી સરકારની આર્થિક નીતિઓનું ખંડન કરતા પણ નજરે ચડયા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી એક સિરીઝ ની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં રાહુલ ગાંધી અલગ અલગ ક્ષેત્રોના એક્સપર્ટ સાથે વાત કરશે અને આ સમયે દેશમાં જે સંકટ આવેલું છે તેના પર ચર્ચા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *