બે દિવસ પછી વ્હાલસોયી દીકરીના લગ્ન હતા અને આજે ખેડૂત પિતાએ કરી લીધો આપઘાત

જબલપુરના ચારગવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે, ગામમાં રહેતા ખેડૂતની પુત્રીના લગ્ન બરાબર ચાર દિવસ પહેલા થવાના હતા. પરંતુ આ પહેલા ખેડૂતભાઈનો મૃતદેહ ખેતરમાં એક ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. લગ્નજીવનની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી અને આખા ગામમાં શોક છવાયો હતો.

જે ઘરમાં લગ્નની શહેનાઈ ગૂંજવાતી હતી, હવે કરુણ ક્રંદન સંભળાઈ રહ્યા છે, જે પિતાને ચાર દિવસ પછી જે દીકરીની ડોલી ઉઠાવવાની હતી આજે એ જ દીકરીને પિતાની અર્થી ઉઠાવવી પડી હતી. આ ઘટનાથી દરેક લોકોની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી. ધુપસિંહ નામના ખેડૂતે પોતાના ખેતરમાં પીપળના ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો હતો. થોડા દિવસ પહેલા જ તેમની 22 વર્ષીય દીકરીની સગાઇ થઇ ગતિ અને આઠ તારીખના રોજ તેના લગ્ન થવાના હતા.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તેમને વારંવાર અજાણ્યા વ્યક્તિના ફોન આવી રહ્યા હતા. જેના કારણે ખેડૂત ખુબ જ હેરાન પરેશાન થઇ ગયા હતા. ગઈકાલે સાંજે જ તેઓ ઘરેથી ખેતર જવા નીકળ્યા હતા અને આખી રાત તેઓ ઘરે ન આવતા સવારે તેમનો પરિવાર શોધખોળમાં ખેતરમાં પહોચ્યો હતો અને પરિવાર જેવો ખેતરમાં પહોચ્યો ત્યાં તેમને દેખાયું કે તેમનો શવ ઝાડ સાથે લટકી રહ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આખા પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું અને તમામ લોકો ખેતરમાં પહોંચી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. આખરે ખેડૂતભાઈએ કેમ આવું કર્યું તેની કોઈ યોગ્ય માહિતી મળી નથી પરંતુ પોલીસે તેનો મોબાઇલ કબજે કરી તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *