ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર પતિએ પત્ની વિરુદ્ધ દાખલ કર્યો દુષ્કર્મ કેસ- DNA ટેસ્ટમાં થયો એવો મોટો ઘટસ્ફોટ કે…

એક ખુબજ વિચિત્ર કિસ્સો ગુજરાત (Gsujarat) રાજ્યમાંથી સામે આવી છે. અત્યાર સુધી આપણે એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં મહિલાઓને પ્રેમ જાળમાંમાં ફસાવી લગ્ન કરી છોડી…

એક ખુબજ વિચિત્ર કિસ્સો ગુજરાત (Gsujarat) રાજ્યમાંથી સામે આવી છે. અત્યાર સુધી આપણે એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં મહિલાઓને પ્રેમ જાળમાંમાં ફસાવી લગ્ન કરી છોડી દેવાની ઘટનામાં યુવાનો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતી હોય છે. પરંતુ ગુજરાત રાજમાં આવેલા સુરત (Surat) શહેરમાં  એક યુવાને DNA ટેસ્ટમાં એક સંતાન પોતાનું ન હોવાનો ખુલાસો થતા પતિએ પત્ની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. બે સંતાનના DNA ટેસ્ટમાં કરાવતા સંતાન પોતાનું ન હોવાનું ખુલ્યું હતું.

સુરતથી સામે આવેલી આ ચકચારી ઘટનામાં સૌથી પહેલા યુવતીએ કુંવારી હોવાનું કહીને યુવકને છેતર્યો હતો. યુવાનના લગ્ન 2010 માં થયા હતા અને યુવતીએ લગ્ન સમયે પોતે કુંવારી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પતિએ પોતાનું શોષણ થયાનો અનુભવ થયો ત્યારે પત્ની સામે ફરિયાદ કરી હતી. સુરતના એક યુવાને લગ્નના 9 વર્ષ બાદ તેની પત્ની સામે દુષ્કર્મની ફરિયાદ બે ત્રણ પોલીસ અને ત્યારબાદ કોર્ટમાં નોંધાવી છે. લગ્નજીવન દરમિયાન અન્ય પુરુષો સાથે સંબંધ રાખી પતિનું શારીરિક શોષણ કર્યું હોવાને લઈને આ પ્રકારની ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં  ચકચાર મચી જાવા પામી છે.

આ ઘટના સાંભળતા એવું લાગી રહ્યું છે કે, સુરતમાં ઉલટી ગંગા વહી રહી છે. સુરતમાં એક પરિણીત પુરુષે તેની પત્નીએ તેના પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ સુરત પોલીસમાં નોંધાવી હતી. જો કે પોલીસે આ મામલે ફરિયાદ ન નોધતા મામલો સુરત કોર્ટમાં પહોંચ્યો હતો. લગ્નના 9 વર્ષ બાદ આ યુવાને તેની પત્ની સામે દુષ્કર્મનો ગુનો નોધાવતા મથામણ કરી હતી. કોઈએ ફરિયાદ ના લેતા આખરે યુવાને કોર્ટનો સહારો લીધો હતો.

યુવકે 2010માં લગ્ન કર્યા હતા, લગ્નના નવ વર્ષ બાદ એટલે કે 2019 માં સામે આવ્યું હતું કે, પત્નીના પ્રેમ સંબંધ છે. ત્યાર બાદ સામે આવ્યું કે, મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ છે. આટલું જ નહી યુવક સાથે લગ્ન કર્યા તે પહેલાં પણ તેણીએ એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ સમગ્ર વાતના પુરાવા યુવકને મળ્યા હતા. પત્નીએ પોતાના પહેલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કર્યા હતા.

આ નવ વર્ષના લગ્નજીવન દરમિયાન પતિ-પત્નીને બે સંતાનો હતાં, તેમાંથી એક નાના સંતાનનો ડીએનએ ટેસ્ટ કરાવતા આ સંતાન પહેલા અથવા બીજા પતિનું ન હોવાનું સામે આવ્યું હતું. ડીએનએ ટેસ્ટમાં સામે અવાયું કે, લગ્ન બાદ થયેલાં બે સંતાનોમાંથી એક સંતાન કોઈ ત્રીજા વ્યક્તિનું છે, આ વાત સામે આવતા જ પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યાર બાદ યુવકે પરિણીતા સાથેના તમામ સંબંધો યુવકે કાપી નાખ્યા હતા અને પત્ની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવા માટે સુરત પોલીસ કમિશનરમાં અરજી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *