BJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયા

ગુજરાત(Gujarat): દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ નિવેદન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને જ્યારે અમે અને અરવિંદ કેજરીવાલ ગુજરાત જઈએ છીએ ત્યારે ગુજરાતના લોકો અમને સ્કૂલો બતાવે છે અને કહે છે કે જુઓ કેટલી ખરાબ સ્કૂલો છે અને પાછલા 27 વર્ષથી ભાજપે સ્કૂલો માટે કંઈ જ કામ કર્યું નથી.

જ્યારે અમે ત્યાં જઈએ અને કહીએ છીએ કે પાંચ વર્ષમાં સ્કૂલ બદલી શકે છે અને ભાજપે પાછલા 27 વર્ષથી સ્કુલો માટે કઈ કર્યું નથી. તેના જવાબમાં આજે સી.આર.પાટીલએ નિવેદન કર્યું છે કે, જે લોકો બહારથી આવીને કહે છે કે ગુજરાતમાં સ્કૂલો નથી બની હું તેમને કહેવા માગું છું કે ગુજરાત સરકારે સુરતમાં 73 સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ લગાવીને તેને ઠીક કરી છે. અમને જાણીને ખુશી થઈ કે જનતાના ડરથી 27 વર્ષ પછી ભાજપે કમ સે કમ 73 સ્કૂલો તો ઠીક કરાવી અને સાથે જાણીને દુઃખ પણ થયું કે 27 વર્ષમાં ભાજપે ફક્ત 73 સ્કૂલ જ ઠીક કરાવી છે.

ભાજપે 27 વર્ષમાં માત્ર 73 સરકારી શાળાઓ ઠીક કરી છે: મનીષ સિસોદિયા
હું ડેટા ચેક કરતો હતો અને અમે હિસાબ લગાવતા હતા કે સ્કૂલો ઠીક કરતા ગુજરાતમાં કેટલા દિવસ લાગે. મૈં ગુજરાતના ખૂણે ખૂણે જઈને સ્કૂલો જોઈ છે તે બધી સ્કૂલો ખરાબ પડી છે, ભણવાની સુવિધા નથી, શિક્ષકોની કોઈ વ્યવસ્થા નથી, જો આ લોકો 27 વર્ષમાં અત્યારે 73 સરકારી સ્કૂલ ઠીક કરે છે તો ગુજરાતમાં કુલ ₹40,800 સરકારી સ્કૂલો છે. તો એ પ્રમાણે આ બધી સ્કૂલો ઠીક કરતા ભાજપને 15000 વર્ષો વીતી જશે. હું તેમણે કહેવા માગું છું કે ભાજપનો આ ફોર્મ્યુલા ખૂબ જ ભંગાર છે.

27 વર્ષમાં 73 સ્કૂલ ઠીક કરવાનો ફોર્મુલા ગુજરાતમાં કઈ જ કામનો નથી. ગુજરાતની જનતા ઈચ્છે છે કે પાંચ વર્ષમાં જ સ્કૂલો ઠીક થઈ જાય, હજારો વર્ષો સુધી જનતા રાહ જોવા નથી માંગતી. એટલે જ આજે ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલના કામ પર વિશ્વાસ કરી રહી છે કે જો કેજરીવાલ દિલ્હીની સ્કૂલો ઠીક કરીને બતાવી શકે છે તો ગુજરાતની સ્કૂલો પણ આમ આદમી પાર્ટીની સરકાર પાંચ વર્ષમાં ઠીક કરી શકે છે. હું ગુજરાતમાં ઘણી જગ્યાએ સરકારી સ્કૂલો જોવા ગયો હતો અને ત્યાં મેં જોયું કે ગુજરાતની સ્કૂલોની હાલત કેટલી ખરાબ છે.

ત્યારબાદ મનીષ સિસોદિયાએ ગુજરાતની સરકારી શાળાઓના ફોટો મીડિયા સમક્ષ રજૂ કર્યા. જેમાં છોટાઉદેપુર, ભરૂચ, ખેડા, પંચમહાલ, જુનાગઢ, સુરત અને શિક્ષણ મંત્રીના મતવિસ્તાર ભાવનગરની સરકારી શાળાઓના ફોટો હતા. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે ગુજરાતની સરકારી શાળાઓની હાલત અત્યંત ખરાબ છે અને બાળકો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ભણી રહ્યા હતા. ત્યારબાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ આગળ જણાવ્યું કે, આજે પાટીલ એ જે બયાન આપ્યું કે 27 વર્ષોમાં તેમણે 73 શાળાઓ ઠીક કરી અને એ પણ પ્રાથમિક શાળાઓ ઠીક કરી હતી.

આ ગુજરાતના લોકોને મંજૂર નથી ગુજરાતના લોકો પાંચ વર્ષમાં શાળાઓ ઠીક કરવા માંગે છે. આ થઈ શકે છે કારણ કે કેજરીવાલએ કરીને બતાવ્યું છે અને ગુજરાતમાં પણ કરીને બતાવશે. સી.આર.પાટીલ સાહેબે અમને ગુજરાતની શાળાઓ જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે. તો હું પાટીલ સાહેબનું આમંત્રણ સ્વીકાર કરું છું. આ ખુબ જ સારી બાબત છે. હું આની પહેલા પણ ગુજરાતની સરકારી શાળાઓ જોવા ગયો હતો અને મેં જોયું હતું કે ત્યાં કેવી સ્કૂલો છે. હું પાટીલ સાહેબને પૂછવા માગું છું કે, હું ક્યારે આવું? અને હું આશા રાખું છું કે આપણે શિક્ષણ મંત્રીના વિસ્તારથી શરૂઆત કરીશું. ત્યારબાદ બીજા વિસ્તારોની શાળાઓ પણ જોઈશું. આપણે એ પણ જોઈશું કે કઈ જગ્યાએ તમે શાળાઓ ઠીક કરી છે અને ક્યાં ક્યાં જનતા સ્કૂલોને ખરાબ બતાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *