દેવભૂમિ દ્વારકામાં અસુરી પતિએ પોતાની જ પત્નીને છરીના ઘા જીંકી કરી કરપીણ હત્યા- ત્રણ સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયા

દ્રારકા(ગુજરાત): મીઠાપુરમાં સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીને છરીના ઘા મારીને પત્નીનું મોત કર્યું છે. મહિલા મૃત્યુ બાદ 4 થી 10 વર્ષના 3 સંતાનોએ માતાને ગુમાવી છે. સામાન્ય ક્રોધમાં પતિએ છરીના ઘા ઝીંકને પત્નીની હત્યા કરી છે.

ગઈ કાલે સાંજે મીઠાપુરમાં બાલ મુકુન્દ પાંજરાપોળમાં રહેતા પ્રવીણ જેસંગભાઈ કંકોડીયાએ રસોઈ બનાવતી તેની પત્ની નીતાબેન પ્રવીણ કંકોડિયા સામે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. પેટના પાછળના ભાગે છરીનો એક ઘા મારી દેતા પત્ની લોહી લુહાણ થઇ ગઈ હતી. ત્યારબાદ ખુદ પતિ પ્રવીણ તેણીને સ્થાનિક દવાખાને સારવાર માટે લઇ ગયો હતો. જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી.

કોઈ કારણસર પતિ પ્રવિણ જેસંગ કંકોડિયા અને તેની પત્ની નીતાબેન પ્રવીણભાઈ કંકોડિયા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના બાદ આરોપીની મોટી દીકરી શ્રદ્ધા દોડતી દોડતી તેના કાકાને ઘરે પહોચી ગઈ હતી. દીકરીએ રડતા રડતા કહ્યું હતું કે, મારા મમ્મીને પપ્પાએ છરીનો ઘા મારી દીધો છે અને હોસ્પિટલ લઇ ગયા છે. જેને કારણે નાનાભાઈ કંકોડીયા હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તેને મોત જાહેર કરતા નાનાભાઈએ પ્રવીણ વિરુધ પત્નીની હત્યા કરવાના ગુનામાં ફરિયાદ નોંધાવી છે.

આરોપી પ્રવીણ જેસંગ કંકોડિયાની થોડાક જ સમયમાં મીઠાપુર પોલીસે ધરપકડ કરી હતી. મહિલાના મૃત્યુના કારણે તેની 4 વર્ષની પુત્રી જયશ્રી, 6 વર્ષની પુત્ર દશરથ અને 10 વર્ષની શ્રદ્ધાએ માતાનું માતૃત્વ ગુમાવ્યું છે. માતાનું મોત થતા અને પિતાએ હત્યા કરી હોવાથી તેને જેલ જવું પડશે. આમાં બાળકોને માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *