એકલવાયું જીવન જીવતી ગુજરાતી મહિલાની હત્યાથી ચકચાર- અસહ્ય દુર્ગધ આવતા સ્થાનિકોએ તપાસ કરી તો લોહીથી લથપથ…

અમદાવાદ(Ahmedabad): હત્યા (Murder)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. નવરંગપુરા (Navarangpura)માં લૂંટ(Robbery), વાસણા અને એલિસબ્રીજ વિસ્તારમાંથી માનવ અંગો મળ્યા બાદ વધુ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, વેજલપુર (Vejalpur)માં એકલવાયું જીવન ગુજારતી મહિલાની હત્યા કરવામાં આવી છે. જો કે હત્યા કોણે અને શા માટે કરી તે કારણ અકબંધ છે.

મળતી માહિતી અનુસાર, શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનદનગર વિભાગ-2 માં એન 104 નંબરના મકાનમાંથી શુક્રવાર મોડી સાંજે અચાનક દુર્ગધ આવવાની શરૂઆત થઈ હતી. જેને લઈને ફ્લેટમાં રહેતા આસપાસના લોકો અને મૃતક મહિલાના બહેન ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને જોતા મનીષા દુધેલા નામની મહિલાની લોહીથી લથપથ હાલતમાં લાશ જોઇ હતી. આ અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. લાશને કબજે કરી પીએમ માટે મોકલી દીધી હતી.

આ પછી પીએમ રિપોર્ટ સામે આવતા તેમાં ઇજાના નિશાન હોવાનું સામે આવતા આ અંગે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, વર્ષ 2014માં મનીષા દુધેલાના લગ્ન રાધાકૃષ્ણ સાથે થયા હતા. પણ લગ્નના એક વર્ષ બાદ પતિ સાથે અણબનાવ થતા એકલવાયું જીવન જીવતા હતા.

આ અંગે મૃતકની માતા લક્ષ્મી બહેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મૃતક મનીષા ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવની હતી. અવારનવાર માતા-પિતા, ભાઇ-બહેનો સાથે પણ ઝગડા કરતી હોવાથી તેને વેજલપુરમાં બનાવ વાળી જગ્યાએ મકાન અપાવ્યું હતું અને એકલી રહેતી હતી. મનીષા બહેનનો એક ભાઈ પણ ઘર છોડી 2005માં સાધુ બની ગયો હતો.

મૃતક મનીષા પણ બેએક માસ પહેલા તેની માતાને મળી હતી ત્યારબાદ માતાને મળી પણ ન હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે પોલીસ તપાસ બાદ જ હત્યા પાછળની હકીકત જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *