BJP-AAP સામ સામે: મહેશ સવાણીએ સી.આર.પાટીલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ કહ્યું કે… 

આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયા, ઇસુદાન ગઢવી,…

આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયા, ઇસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામ ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને ગામડે ગામડે જન સંવેદના મુલાકાત કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ઘણા વિવાદો ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રના જન સંવેદના કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાને જોઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન મહેશ સવાણીની ગાડી પર અમુક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે મહેશ સવાણીએ કહ્યું હતું કે, અમારા પર ફેકવામાં આવેલ પથ્થરોનો ઉપયોગ સ્મારક બનાવવા માટે કરીશું. સાથે મહેશ સવાણીએ પોતાના રાજકીય જીવનથી લઈને સી.આર.પાટીલની વાત કરી હતી.

મહેશ સવાણીએ વધુમાં જણાવતા કહ્યું છે કે, મેં સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો તે અંગે ભાજપના લોકોને ખુબ જ રોષ ભરાયેલો છે. કોરોનાકાળ દરમિયાન તેઓ મારી સાથે ખરાબ વર્તન કરતા હતા અમે લોકોની સેવા અને મદદ કરવા માટે સુરતથી સૌરાષ્ટ્ર પહોચ્યા હતા.

કોરોનાની મહામારી દરમિયાન ગામડાની હાલત ખુબ જ ખરાબ હતી. ત્યારે તે લોકોની મદદે અમે લોકો સુરતથી ૩૦૦ જેટલી ગાડીઓ લઈને ગામડે રાવ થયા હતા. ત્યારે લીલીઝંડી બતાવવા અંગે મે સી.આર.પાટીલને ફોન કર્યો હતો. ત્યારે તેઓએ મને રાજકીય નેતા તરીકે મને અત્યંત ખરાબ જવાબ આપ્યો હતો.

મહેશ સવાણીના જણાવ્યા અનુસાર, સી.આર.પાટીલે મને કહ્યું કે તમે આમ આદમી પાર્ટીના કોરોના સેન્ટરોમાં મદદરૂપ થઇ રહ્યા છો. તમે આમ આદમી પાર્ટીની કામગીરીને મજબુત કરી રહ્યા છો. કોર્પોરેશનની ચુંટણી દરમિયાન તમે આમ આદમી પાર્ટીને ફંડ આપ્યું હતું. જેને કારણે તે વિસ્તારમાં હું લીલીઝંડી બતાવવા માટે આવ્યો નથી.

મહેશ સવાણીના પ્રતિઉત્તરમાં કહ્યું હતું કે. મે આમ આદમી પાર્ટીને કોઈ પણ પ્રકારનું ફંડ આપ્યું નથી. તેમ છતાં પણ સી.આર.પાટીલ દ્વારા મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તે કોઈ પણ પુરાવા વગર ખોટા આક્ષેપો કરતા રહ્યા છે. સી.આર. પાટીલે મને ક્યારેય તેઓનો માન્યો જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *