મોરબીના પટેલ બિલ્ડરે ડેમમાં ઝંપલાવીને કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું કે…

આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં નજીવી બાબતને લઈને વ્યક્તિ આત્મહત્યા જેવું જીવલેણ પગલું ભરતા હોય છે. આપઘાતના કિસ્સા સતત સામે અવી…

આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં નજીવી બાબતને લઈને વ્યક્તિ આત્મહત્યા જેવું જીવલેણ પગલું ભરતા હોય છે. આપઘાતના કિસ્સા સતત સામે અવી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈકોન એપાર્ટમેંટમાં રહેતો યુવાન ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો અને બાદમાં તેના મિત્ર સર્કલમાં શોધખોળ કરતાં તેના મિત્રને તે એક કવર વીમા વાળાને આપવાનું છે તેવું કહીને આપી ગયો હતો. આ કવરને ખોલતા તેમાંથી તેની સ્યૂસાઇટ નોટ મળી આવી હતી.

ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ દરમિયાન મોરબીના મચ્છુ-3 ડેમ પાસેથી તેનું સ્કૂટર અને ચપ્પલ મળી આવ્યા હતા. જેથી ડેમમાં તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં ડેમના પાણીમાથી તેની લાશ મળી આવી હતી. જેથી બોડીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડવામાં આવી છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ મથકે શૈલેષભાઈ અવચરભાઈ જાકાસણીયા પટેલ (45) રહે.પટેલનગર આલાપ રોડ વાળાએ જાણ કરી હતી કે તેમના કૌટુંબિક ભાઇ આશિષ થોભણભાઇ જાકાસણીયા (ઉંમર 36) તારીખ 22ના ઘરેથી હમણાં બહાર જાવ છું અને થોડી વારમાં આવું છું તેમ કહીને નીકળ્યો હતો. ત્યારબાદ મોડે સુધી ઘરે પરત ન ફરતા તેમના પત્નીએ આ વાતની જાણ શૈલેષભાઇને કરી હતી. શૈલેષભાઈ જાકાસણીયા અને શૈલેષભાઈના મિત્ર અલ્પેશભાઇએ આશિષભાઈની શોધખોળ શરૂ કરી હતી.

આશિષભાઈના મિત્ર સર્કલમાં તેઓએ તપાસ કરતાં આશિષભાઈના મિત્ર નટુભાઇ બોડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આશિષ સાંજે પાંચેક વાગ્યે તેમને મળ્યા હતા અને તેમને એક કવર આપ્યું હતું અને તે કવર વીમા વાળા ભાઇને આપવાનું છે તેમ કહ્યું હતું જે કવરને ખોલતા અંદર સુસાઇડ નોટ મળી આવી હતી અને પોતે આપઘાત કરવા જતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી શૈલેષભાઈ અવચરભાઈ જાકાસણીયા દ્વારા વહેલી સવારે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ શોધખોળ કરતાં આશિષ થોભણભાઇ જાકાસણીયાનું સ્કૂટર નંબર જીજે36 એન 1487 મોરબીના કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે પાર્ક કરેલી હાલતમાં મળી આવ્યું હતું અને બાજુમાંથી જ આશિષના ચંપલ પણ મળી આવ્યા હતા જેથી ડેમમાં તપાસ કરવામાં આવી હતી અને ડેમના પાણીમાંથી મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા આશિષ થોભણભાઇ જાકાસણીયાની ડેડ બોડીને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેની બોડીને પોસ્ટમોર્ટમ માટે સિવિલે લઈ જવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમણે જણાવ્યુ છે કે, મૃતકે લખેલી સ્યૂસાઇડ નોટને કબ્જે કરી છે અને તેમાં લખ્યું છે કે, તેને છેલ્લા બે વર્ષથી ગોઠણની બીમારી હતી જેની સારવાર કરવામાં આવી હોવા છતાં સારું થતું ન હતું જેથી તે દુ:ખાવાથી કંટાળીને આત્મહત્યા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *