આંદોલનના એંધાણ! મોટેરા સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ કરવાની માંગ સાથે પાટીદારો ફરી મેદાને

ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા ગુજરાત સરકારને ચીમકી આપવામાં આવી છે. PAAS ટીમ દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. અમે તમને જણાવી દઇએ કે, સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

PAAS નેતા અલ્પેશ કથીરિયાનું ખુલ્લું સમર્થન:
ત્યારે આ અંગે PAAS નેતા અલ્પેશ કથીરિયાએ યાત્રામાં જોડાવા અહવાન કર્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) નું નામ બદલવાના વિરોધમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં PAAS સમિતિ પણ જોડાશે. સરદાર પટેલનું ગુજરાતમાં અપમાન ગણાવી વિરોધ નોંધવવામાં આવશે.

સ્ટેડિયમનું નામ ફરી એકવાર સરદાર પટેલ કરવાની માંગ સમક્ષ કરવામાં આવશે. બારડોલીથી ‘સરદાર સંકલ્પ યાત્રા’ કાઢી આ મુદ્દે વિરોધ નોંધવવામાં આવશે. બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી સરદાર સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે. સરદાર સંકલ્પ યાત્રા 12 જૂન રવિવારથી નીકળીને 13 જૂન સોમવારે મોટેરા સ્ટેડિયમ પહોંચશે.

‘મોટેરા સ્ટેડિયમ’નું નામ બદલવા આવતીકાલથી શરૂ થશે ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’
અમે તમને જણાવી દઇએ કે, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના રિનોવેશન પછી તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. પરંતુ નામ બદલતા જ પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો જોવા મળી રહ્યો છે અને સરદાર પટેલનું નામ પુનઃસ્થાપિત કરવા માટે ‘સરદાર સંકલ્પ આંદોલન સમિતિ’ રચના કરવામાં આવી છે. આ સરદાર સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આગામી 12 જૂનના રોજ એટલે કે ગઈકાલે ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યોજવામાં આવશે.

બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’નું આયોજન:
બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી આ યાત્રા યોજવામાં આવશે. આ યાત્રામાં કોંગ્રેસ ભાજપ પાર્ટીના નેતાઓ નહીં પરંતુ પાટીદાર સમાજના તમામ લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. તો હવે તેઓની સાથે PAAS દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી સરદાર સન્માન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યા પછી તેને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામ આપવામાં આવ્યું છે. જેને લઇને આ વિવાદનો કોકડો ગૂંચવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *