અમદાવાદની ધ્રુજાવી દેતી ઘટના- પત્ની સાથે ઝઘડો થતા, પતિએ પાંચ વર્ષના સાળાને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)ના દાણીલીમડા(Danilimda) વિસ્તારમાંથી પાંચ વર્ષનો રિયાન(Riyan) થોડા સમય પહેલાં ગાયબ…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)ના દાણીલીમડા(Danilimda) વિસ્તારમાંથી પાંચ વર્ષનો રિયાન(Riyan) થોડા સમય પહેલાં ગાયબ થઈ ગયો હતો. રિયાનને શોધવા માટે પોલીસ અને પરિવારજનોએ રાત દિવસ એક કરી નાંખ્યા હતાં. પરંતુ રિયાનની લાશ કેનાલ(Canal)માંથી મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી હતી. આ કિસ્સામાં પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રિયાનની બહેન અને બનેવી વચ્ચે ઝગડો થયો હતો. જેની અદાવતમાં બનેવીએ સાત વર્ષના રિયાનનું અપહરણ કર્યું બાદમાં તેની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે દાણીલીમડા પોલીસ(Police) દ્વારા આરોપી બનેવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં દાણીલીમડા નજીક રહેતા શેખ પરિવારનો પાંચ વર્ષનો પુત્ર રિયાન શેખ અચાનક ગાયબ થઈ ગયો હતો. ચાર બહેનોનો એકનો એક ભાઈ રિયાન પરિવારમાં ખૂબ લાડકો હતો. તે અચાનક ગાયબ થઇ જતાં પરિવારજનો ખુબ જ ચિંતામાં મુકાઇ ગયા હતા. બાળકને શોધવા માટે ઈનામની જાહેરાત પણ કરવામાં આવી પોલીસને જાણ કરવામાં આવી પણ કોઈ કડી મળી નહીં. પોલીસ અને પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં કોઈ કડી મળે ત્યાં રિયાનને શોધવા માટે દોડાદોડી કરી મૂકી હતી.

અ દરમિયાન, એક દિવસ ચાંગોદર નજીક કેનાલમાં એક બાળકની લાશ હોવાની જાણ પોલીસને થઈ હતી. પોલીસ દ્વારા પરિવારને આ વાતની જાણકારી આપવામાં આવી હતી. પરંતુ, પરિવારને એમ હતું કે તે રિયાનની લાશ નહીં હોય. પરંતુ, વિધિના લેખને કોઈ મિથ્યા કરી શકતું નથી તેમ પોલીસને કેનાલમાંથી મળેલી લાશ આ માસૂમ બાળક રિયાનની જ હતી. રિયાનની લાશ મળતાં જ આખો પરિવાર રોકકળ કરી રહ્યો હતો. તો બીજી બાજુ રિયાનના મોત અંગે તપાસ કરી રહેલ દાણીલીમડા પોલીસને જે જાણવા મળ્યું હતું તે ખૂબ જ આઘાતજનક હતું.

રીયાનની એક બહેન જેના લગ્ન થઈ ગયા હતા. તેને અને તેના પતિ વચ્ચે થોડા સમય પહેલા ઝગડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બનતા તેના પતિએ સાળા રીયાનને જ રસ્તામાંથી હટાવી દેવા માટે શેતાની પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું. પહેલા રીયાન અચાનક ગાયબ થઈ ગયો અને તેને શોધવા માટે પરિવારે પોસ્ટરો લગાવ્યા ત્યારે આરોપી બનેવીને લાગ્યું કે, હવે પકડાઈ જવાશે જેથી તેણે રીયાનની હત્યા કરી નાખી. બાદમાં કોઈને જાણ ન થાય તે માટે રિયાની લાશને કેનાલમાં નાખી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *