વડોદરામાં ખેલાયો ખૂની ખેલ- 23 વર્ષીય યુવકને 10થી 12 લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાખ્યો

વડોદરા(Vadodara): શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ(Crime) વધતા જણાઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને સરેઆમ હત્યા (Murder)ની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં વડોદરાના ડભોઇ રોડ પર સોમા તળાવ બ્રિજ નીચે 10થી 12 લોકોના ટોળાએ એક યુવાનને હથિયારોના ઘા મારીને રહેંસી નાંખ્યો હતો. સોમા તળાવ બ્રિજ નીચે 23 વર્ષીય નિતેશ રાજપૂત નામના યુવાનને 10થી 12 લોકોના ટોળાએ ઘેરીને ઘાતકી હત્યા કરી નાંખી છે. ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મૃતક નિતેશ સંજયકુમાર રાજપૂત(23) વિજય નગર ઝૂંપડપટ્ટી, રેલવે લાઈન પાછળ, દંતેશ્વરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ અંગે મૃતક નિતેશ રાજપૂતના ભાઈએ જણાવ્યુ હતું કે, દંતેશ્વર વિસ્તારમાં દાઢી નામનો એક શખ્સ છે, જેની પાસે ત્રણ-ચાર છોકરા છે. દાઢીએ જ આખું કાવતરું કરીને હત્યા કરી હોવાની અમને શંકા છે.

વધુમાં મૃતક નિતેશના પરિવારજનોએ જણાવ્યું હતું કે, હુમલાખોરો 10થી 12 જણા હતા. હુમલો કરનારાઓની પ્રવૃત્તિ ચોરી કરવાની છે. દરેક હુમલાખોરો પાસે કોઈને કોઈ હથિયાર હતું. કોઈની પાસે ચાકૂ, તો કોઈની પાસે ધારિયું, તો કોઇની પાસે દાતરડું હતું. નિતેશ એકલો હતો એટલે હુમલાખોરોનો મુકાબલો કરી શક્યો ન હતો.

આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, યુવકના છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી 3 ઘા, કપાળમાં 1 ઊંડો ઘા અને પેટના ભાગે 2 ઘા મારવામાં આવ્યા હતા. ઘા ખૂબ જ ઊંડા હોવાનું સામે આવ્યું છે. મૃતકને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ હિતેશ રાજપૂતની ફરિયાદના આધારે વાડી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *