પ્રેમમાં પડેલા પંખીડાએ લગ્ન ન થવાના ડરને કારણે મોતને કર્યું વ્હાલું, પ્રેમી યુગલે ટ્રેન સામે પડતું મૂકી કરી આત્મહત્યા

હળવદ તાલુકાના એક ગામની ચોકાવનારી ઘટના સામે આવી છે. હળવદ તાલુકાના નાનકડા ગામમાં રહેતા પ્રેમીપંખીડાએ ટ્રેન નીચે પડતું મુકીને પોતાના જીવનો અંત લાવ્યો છે. સમગ્ર ઘટના અંગે વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રેમમાં એક ન થઈ શકવાના ભયને કારણે બંનેએ મોતને પસંદ કર્યું.

હળવદ તાલુકાના સુખપુર રેલવે ફાટક નજીક એક ગામના પ્રેમી યુગલે શનિવારના રોજ પ્રેમમાં પાગલ થઈને રેલવે નીચે પડતું મુક્યું હતું અને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર બનાવને કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ગામના લોકોને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આત્મહત્યાના બનાવોને કારણે ચિંતા વધી રહી છે. ત્યારે હળવદ તાલુકાના એક ગામમાં પ્રેમમાં પ્રેમી પંખીડા મોતને વહાલું કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. પ્રેમી પંખીડાએ રેલ્વે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. નાનકડા એવા ગામમાં ઘટનાને કારણે ચકચાર મચી જવા પામ્યો છે. પ્રેમી યુગલ પ્રેમમાં એ હદ સુધી પહોંચી ગયું હતું કે બંને એક ન થઈ શકવાના ડરને કારણે આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર સમાજના લોકો એક નહિ થવા દે તેવા ભયના કારણે બંનેએ ટ્રેન નીચે પડતું મુકીને મોતને વહાલું કર્યું હતું. આ સમગ્ર ઘટના અંગેની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેલવે પોલીસ ને જાણ કરતા રેલવે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *