રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળીને વૃદ્ધ દંપતીએ સજોડે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

સમગ્ર રાજ્યમાં દિન-પ્રતિદિન આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થવા જઈ રહ્યો છે. અગમ્ય કારણોસર અથવા તો અન્ય કોઈ કારણોસર લોકો આપઘાત જેવું કડક પગલું ભરી લેતા…

સમગ્ર રાજ્યમાં દિન-પ્રતિદિન આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થવા જઈ રહ્યો છે. અગમ્ય કારણોસર અથવા તો અન્ય કોઈ કારણોસર લોકો આપઘાત જેવું કડક પગલું ભરી લેતા હોય છે ત્યારે હાલમાં આવો જ અન્ય એક બનાવ હાલમાં સામે આવ્યો છે.

રાજકોટમાં આર્થિક ભીંસને લીધે વૃદ્ધ દંપતી ગોપાલભાઇ ચાવડા (ઉં.વ.60) તથા નિર્મલાબેન ચાવડા (ઉં.વ.60)એ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં આવેલ કાલાવડ રોડ પરનાં ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટના 12મા માળે પોતાના ફ્લેટમાં જ ચાવડા દંપતીએ સજોડે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધુ છે.

ઘટનાની જાણ થતાની સાથે જ તાલુકા પોલીસ દોડી જઇને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દંપતીના દીકરાએ પોલીસ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, રેડીમેડ કપડા બનાવવાના કારખાનામાં મોટુ નુકસાન આવતા મારા માતા-પિતાએ આ પગલું ભર્યું છે.

આર્થિક સંકડામણ વધી ગઈ હતી:
ગોપાલભાઈ ચાવડા રેડીમેડ કપડા બનાવવાનું કારખાનું ચલાવી રહ્યા હતા પણ કોરોનામાં લોકડાઉનને લીધે મોટું નુકસાન થતા આર્થિક સંકડામણમાં વધારો થયો હતો. જેને લીધે આપઘાત કર્યાનું મૃતકના દીકરાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ સ્ટેશનની ટીમ પહોંચી ગઈ હતી. એપાર્ટમેન્ટના 12માં માળે ગોપાલભાઈ ચાવડા તેમજ નિર્મલાબેન ચાવડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.

દંપતી ફ્લેટમાં એકલું રહેતું હતું:
પોલીસના જણાવ્યા પ્રમાણે આર્થિક પરીસ્થિતિ ખરાબ હોવાને લીધે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કોરોનામાં લોકડાઉનને લીધે કારખાનામાં ખુબ નુકસાન થતા આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું છે. હાલમાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. ચાવડા દંપતી એકલા જ આ ફ્લેટમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ મૃતક દંપતીનો દીકરો પણ દોડી આવ્યો હતો.

પહેલા બે પિતરાઈએ બહેનની સાથે આપઘાત કર્યાનો બનાવ બન્યો હતો:
અન્ય એક બનાવમાં 3 મહિના અગાઉ શહેરના મનહરપુરમાં રહેતા બાંભવા પરિવારનાં 3 પિતરાઇ ભાઇ-બહેને વેજાગામ વાજડીમાં કૂવામાં પડતું મૂકીને સામૂહિક આપઘાત કર્યો હતો. જામનગર રોડ પરના મનહરપુર ઢોળા નજીક રહેતા કવા પબા બાંભવા (ઉં.વ.16), તેની પિતરાઇ બહેન પમી હેમાભાઇ બાંભવા (ઉં.વ.18) તથા રેલનગરના સંતોષીનગરમાં રહેતા પિતરાઇ ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉં.વ.17)એ સજોડે આપઘાત કરતાં સમગ્ર પરિવાર શોકમાં સરી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *