સુરતના જૈન સમાજના દિનેશભાઈ છાજેડ મરતા-મરતા અંગદાન કરી છ વ્યક્તિઓને આપ્યુ નવજીવન

સુરતમાં એવા ઘણા કીસ્સા સામે આવ્યા છે જેમાં કોરોનાકાળમાં ઘણા અંગદાન કરવામાં આવ્યા છે અને લોકોને નવજીવન મળે છે. અંગદાનની પ્રવૃતિને ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા…

સુરતમાં એવા ઘણા કીસ્સા સામે આવ્યા છે જેમાં કોરોનાકાળમાં ઘણા અંગદાન કરવામાં આવ્યા છે અને લોકોને નવજીવન મળે છે. અંગદાનની પ્રવૃતિને ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ધબકતી રાખવામાં આવી છે. આ દરમિયાન આજે સુરતના એક જૈન વેપારી બ્રેઈન ડેડ થઈ જતા તેમના પરિવાર દ્વારા તેમનાં અંગોનું દાન આપવાનું નક્કી કરતા, હ્યદય, લીવર, કિડની, આંખોના દાન કરીને મરતા મરતા છ વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું છે. આ દરમિયાન સંસ્થા ડોનેટ લાઇફના પ્રયાસોના કારણે સુરતમાંથી 33માં હ્યદયના દાન સાથે ટ્રાન્સપ્લાન્ટની સફળ સેવાકીય ગાથા સામે આવી છે.

જાણવા મળ્યું છે કે, સુરતના પાલ વિસ્તારમાં વેપાર કરતા વેપારી દિનેશભાઈ છાજેડને 11મી જૂનના રોજ બીપી વધી ગયુ હતું. જેના કારણે શરીરમાં જમણા બાજુ લકવાની અસર થઈ જતા તેમને ડીએન મહેતા પારસી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને ન્યૂરોસર્જન ડૉ.સીકે જૈન પાસે દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે આ હૉસ્પિટલની ટીમ દ્વારા 18મી જૂને તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન ડૉ.સી.કે. જૈન દ્વારા છાજેડના પત્ની જયાબેનને અંગદાનની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું મારા પતિ સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા હતા. હંમેશા એવું જ ઈચ્છતા કે, આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આજે તેઓ બ્રેઇનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે મારા પતિના અંગદાન થતી લોકોને નવજીવન મળતું હોય તો આપ આગળ વધો.

ત્યારબાદ વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવાર દ્વારા તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપીને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવવામાં આવી છે. સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 92 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 43 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તથા બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં સુરતની 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરતની એપલ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીનું 274 કિ.મિ રોડ માર્ગનું અંતર 180 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 47 વર્ષીય મહિલાને કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત હ્રદય, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 386 કિડની, 159 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 290 ચક્ષુઓ કુલ 888 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 816 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટી આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ દ્વારા સ્વ.દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *