જેતલસરમાં સોળ વર્ષીય દીકરીની હત્યા કેસમાં વિચાર્યું પણ નહી હોય તેવો આવ્યો નવો વળાંક- જાણો અહી…

હાલ રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા જેતલસર ગામમાં સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીનીની એક…

હાલ રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા જેતલસર ગામમાં સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીનીની એક વ્યક્તિએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આરોપીએ યુવતીને 36 જેટલા છરીના ઘા ઝીંક્યા હતા.

જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીનીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, સૃષ્ટિની હત્યા કરનાર બીજું કોઈ નહિ પરંતુ તેનો જ સંબંધિત હતો અને બંને મામા ફઈના સંતાનો હોવાના કારણે બંને વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો. સૃષ્ટિના પિતા કિશોરભાઈ રૈયાણી એ જાતે પટેલ છે અને તેણે શ્રુષ્ટિની માતા સાથે પ્રેમ લગ્ન કરેલ છે શ્રુષ્ટિની માતાએ ખાંટ રાજપૂત છે અને જયેશ ગિરધર સરવૈયાએ પણ ખાંટ રાજપૂત છે અને શ્રુષ્ટિની માતાને દૂરનો ભાઈ થાય સૃષ્ટિના પિતાએ જયેશના સમાજના મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા છે.

સૃષ્ટિના ગામમાં જયેશ સરવૈયા નામનો વ્યક્તિ કડીયા કામના વ્યવસાય સાથે જોડાયેલો હતો. આ ઉપરાંત જયેશ સંબંધી હોવાના કારણે અવાર નવાર સૃષ્ટિના ઘરે જતો હતો અને એક સમયે તેને સૃષ્ટિ સાથે આંખ મળી ગઈ અને એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. તેથી તે ભાઇ હોવા છતાં પણ સૃષ્ટિની પાછળ-પાછળ તેની શાળાએ જતો હતો. આ ઉપરાંત ક્યારેક તો સૃષ્ટિને રસ્તામાં જ ઉભી રાખતો હતો.

આ દરમિયાન જયેશના આ પ્રકારના વર્તનને લઈને સૃષ્ટિએ તેના પિતા કિશોરને જયેશની ફરિયાદ કરી હતી. તેથી કિશોર રૈયાણી દ્વારા જયેશના પિતા ગિરધર સરવૈયાને આ બાબતે માહિતી આપતાં તેના પુત્ર જયેશને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હોવાને કારણે જયેશ ઘર નજીક રહેતા તેના મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો.

ઘટનાના દિવસે જયેશ સવારના સમયે વીરપુર ગામમાં ગયો હતો અને વીરપુરમાં બપોર સુધી રોકાયા બાદ તે 180 રૂપિયાનું ચપ્પુ લઈને બપોરના સમયે જેતલસર ગામમાં આવ્યો હતો. ગામમાં આવીને તે સૃષ્ટિના ઘરે પહોચ્યો હતો અને તેને એવો વિચાર આવ્યો કે, બપોરના સમયે સૃષ્ટિ ઘરે એકલી હશે.

પરંતુ, તેની ધારણા ખોટી પડી અને બપોરના સમયે સૃષ્ટિનો ભાઈ હર્ષ પણ ઘરે હતો. જ્યારે જયેશે ઘરમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને હર્ષે અટકાવ્યો હતો અને ઘરમાં જવાની ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલા જયેશ દ્વારા હર્ષ પર ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને પાંચથી છ ચપ્પુના ઘા વાગતા હર્ષ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં સૃષ્ટિ ઘરની બહાર દોડી આવી હતી અને તેણે જયેશનો પ્રતિકાર કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા જયેશે સૃષ્ટિને એક પછી એક 36 જેટલા ચપ્પુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી સૃષ્ટિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયેશે સૃષ્ટિને પીઠ છાતી અને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંક્યા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને લોકોને જોઈને જયેશ ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી હતી અને પોલીસ દાવર સૃષ્ટિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી જયેશ સામે હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

One Reply to “જેતલસરમાં સોળ વર્ષીય દીકરીની હત્યા કેસમાં વિચાર્યું પણ નહી હોય તેવો આવ્યો નવો વળાંક- જાણો અહી…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *