વલસાડમાં જળબંબાકારથી ખોરવાયું જનજીવન- ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું

વલસાડ (Valsad)માં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું થયું છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી 300થી વધુ લોકોને પોતાનું ઘરબાર મૂકીને બીજે જવાનો વારો આવ્યો છે. તો ભારે વરસાદને કારણે વલસાડના બંને બ્રિજ પાણીમાં ડૂબ્યા છે, જ્યારે અંડરબ્રિજમાં કમર સમા પાણી ભરાયું છે

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ:
હાલ એક તરફ દરિયામાં ભરતીનો સમય છે, તો બીજી તરફ ઉપરવાસમાં પણ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગત રાત્રે વલસાડમાં પણ બારે મેઘ ખાંગા થતાં ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

ગામોમાં પણ નદીનાં પાણી ઘૂસ્યાં:
જાણવા મળ્યું છે કે, વલસાડ શહેરના બંને બ્રિજ ડૂબ્યા છે, તો શહેરના અંડરપાસમાં કમરસમા પાણી ભરાતાં અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. શહેરના કૈલાસ રોડ, કાશ્મીરનગર, છીપવાડ, તરિયાવાડ, બંદર રોડ, દાણાબજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાતાં જનજીવન ખોરવાયું છે. જ્યારે બીજી તરફ, જિલ્લાનાં અનેક ગામોમાં પણ ઔરંગા નદીના પાણી ઘૂસ્યાં છે. જિલ્લાના લીલાપોર, ધમડાચી, હનુમાન ભાગડા, ભાગડાખુર્દ સહિતનાં ગામોમાં નદીના પાણી ઘૂસતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થળાંતરની કામગીરી યથાવત્:
અતિ ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં પોલીસ વિભાગ, પાલિકા અને સ્થાનિક મામલતદાર સહિતના સ્ટાફ દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ઘર છોડવા તૈયાર નથી, ત્યારે પોલીસે એક વૃદ્ધાને ઊંચકી ઘર બહાર લાવી મામલતદાર પોતે પોતાની ગાડીમાં વૃદ્ધા મહિલાને સેલ્ટર હોમ લઈ ગયા છે. અત્યારસુધી 300 જેટલા લોકોનું સ્થળાંતર થઇ ચૂક્યું છે. જોકે આ કામગીરી હજુ યથાવત્ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *