મહીસાગરમાં ફગવા જકાતનાકા પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત; 2 લોકોને ભરખી ગયો કાળ

Mahisagar Accident: માર્ગ અકસ્માતની ઘટનામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બાલાસિનોર વિરપુર રોડ પર ફગવા પાસે ત્રિપલ અકસ્માત(Mahisagar Accident) સર્જાયો હતો. જેમાં બે લોકોના…

Mahisagar Accident: માર્ગ અકસ્માતની ઘટનામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બાલાસિનોર વિરપુર રોડ પર ફગવા પાસે ત્રિપલ અકસ્માત(Mahisagar Accident) સર્જાયો હતો. જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહિલા કોન્સ્ટેબલ સહીત એક યુવતીનું મોત
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ,એક્ટિવા પર જઈ રહેલ મહિલા અને અન્ય એક વ્યક્તિને બાલાસિનોર શહેરના ફગવા જકાતનાકા પાસે કાળ ભરખી ગયો હતો.જેમાં કાર, એક્ટિવા અને મોટર સાયકલ ધડાકાભેર અથડાયા હતા. કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા પર સવાર તુલસીબેન ફંગોળાયા હતા. વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ તુલસીબેનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અન્ય એક મૃતક યુવકની ઓળખ ન થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બંને મૃતદેહોને પીએમ અર્થે લઇ જવામાં આવ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મોત થયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. જોકે તે મૃતક મહિલા અને અન્ય વ્યક્તિ કોણ હતા તે વિશે માહિતી પ્રાપ્ત થઈ નથી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક બાલાસિનોર ટાઉન પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી છે અને બંને મૃતદેહોને પીએમ અર્થે બાલાસિનોરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે.

પોલીસે અકસ્માતની નોંધ લીધી
આ બનાવ અંગે બાલાસિનોર ટાઉન પોલીસે હીટ એન્ડ રન પ્રમાણે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બાલાસિનોર પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં કાર ચાલક બાલાસિનોર સ્થિત હુંડાઈ કાર શોરૂમમાં મેનેજર હોવાનું સામે આવ્યું છે.