ADV મેહુલ બોધરા વિશે આ માલધારી ભાઈનું શું કહેવું છે એ બધાએ ધ્યાનથી સાંભળવું જોઈએ – જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં ગત 18 જુલાઈના રોજ સામાજિક કાર્યકર અને વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર જીવલેણ હુમલાનો વિડીયો ફરતો થયો હતો. આ હુમલો કથિત TRB (ટ્રાફિક જવાન) સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા કરવામાં આવ્યો હતો. વકીલ મેહુલ બોઘરા દ્વારા તેમના પર હપ્તા લેવાનો ગંભીર આરોપ લગાવ્યા હતા.

આ ઘટનાને લઈને હાલમાં એક માલધારી વડીલ મેહુલ બોધરાના સમર્થનમાં કરેલી વાતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. માલધારી વડીલે વિડીયોમાં વાત કરતા જણાવ્યું કે, મારું નામ અમરશીભાઈ કમાભાઈ સોહના છે. માલધારી સમાજને મારે આટલું જણાવવાનું છે કે, સુરતમાં મેહુલભાઈ બોઘરા સાથે જે કંઈ ઘટના બની છે તે આપણા સમાજ સાથે નથી બની તે ભ્રષ્ટાચાર સાથે બનવા પામી છે.

વધુમાં વડીલે જણાવતા કહ્યું છે કે, માલધારી સમાજને કોઈનો વિરોધ કરવાનો નથી. માલધારી વડીલે વધુમાં જણાવતા કહ્યું છે કે, આપણે બધાને હળી મળીને જ રહેવાનું છે. બીજા બધા ગમે જે કરે તે પરંતુ માલધારી સમાજને મનમાં લેવાનું નથી. અને માલધારી સમજે  કોઈપણ સમાજનો વિરોધ પણ કરવાનો નથી. વડીલે વધુમાં જણાવતા કહ્યું છે કે, મેહુલભાઈ સાથે જેને આ કાર્ય કર્યું છે તેની સામે મેહુલભાઈ લડશે. આપણે કોઈની સાથે લડવાનું કે ઝઘડવાનું નથી અને આપણે કોઈની સાથે બગાડવાનું પણ નથી.

વિડીયોમાં વડીલે વધુમાં જાણવતા કહ્યું છે કે, મેહુલભાઈ સાથે બેસીને મે રૂબરૂમાં ચર્ચા કરી છે. મેહુલભાઈનું કહેવું છે કે, હું માલધારી સમાજના વિરુદ્ધમાં નથી. એટલા માટે માલધારી સમાજના કોઈપણ લોકોને ખોટું લગાડવું નહીં. હું કાયદાકીય રીતે લડું છું અને મારું કામ હું કરતો રહીશ.

રાજકારણમાં જોડાવાને લઈને મેહુલ બોઘરાએ જાણો શું કહ્યું?
વકીલ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું છે કે, મેહુલ બોઘરા રાજકારણમાં તો આવશે એ 100 ટકા છે. મને ખોટું બોલતા આવડતું નથી. રાજકારણી તો બનવાનો છું પણ આવો નથી બનવાનો જે હાલમાં લોકો હોય છે. ઉમેરતા કહ્યું છે કે, જેનામાં આત્મવિશ્વાસ નથી, જેને ખાલી બોલ બચ્ચન કરવા છે એવા બધા રાજકારણમાં આવીને બની બેઠા છે, તો મારા માં તો જુસ્સો છે, દેશ માટે કઈ કરવાની ભાવના છે, રાષ્ટ્રપ્રેમ છે તો હું રાજકારણમાં કેમ ના આવું? પરંતુ આગામી સમયમાં જે ઈલેક્શનો આવવાના છે તેના માટે હાલ મારી કોઈ તૈયારી નથી.

રાજકારણમાં કોઈ પાર્ટી નક્કી ના હોય કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી. મેહુલ બોઘરા પોતાની પાર્ટી પણ બનાવે, અપક્ષમાં પણ લડે એ કોઈ વસ્તુ હાલ માં છે નહી, આ બધા ભવિષ્યના પ્લાનિંગ છે. ભવિષ્યમાં લોકોનું સમર્થન હશે, લોકચાહના હશે ત્યારે મેહુલ બોઘરા ચોક્કસ રાજકારણમાં આવશે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાવવાની અત્યારે કોઈ સંભાવના નથી અને ભવિષ્યમાં પણ મને એવું લાગતું નથી. તમામ પાર્ટીઓનો પોલીટીકલ સપોર્ટ હોય છે. રાજકારણમાં ત્રણ પાર્ટીઓ જ છે તેવું નથી, અલગ પાર્ટી પણ બને, અપક્ષમાંથી પણ લડાઈ, પરંતુ લોકચાહના હશે તે પ્રમાણે મોહુલ બોઘરા આગળ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *