ફાટેલી નોટોને કોઈપણ બેંકની બ્રાંચમાંથી બદલાવી શકો છો,જો બેંક ના પડે તો કરો આ..

મિત્રો, ચલણી નોટ ઓછી કિંમતની હોય કે વધારે કિંમતની, જો એ એકદમ વ્યવસ્થિત હોય એટલે કે, એટલે કે ક્યાંયથી પણ ફાટેલી ન હોય તો આપણે…

મિત્રો, ચલણી નોટ ઓછી કિંમતની હોય કે વધારે કિંમતની, જો એ એકદમ વ્યવસ્થિત હોય એટલે કે, એટલે કે ક્યાંયથી પણ ફાટેલી ન હોય તો આપણે એનાથી વ્યવહાર કરી શકીએ છીએ. અને જો એ ફાટી જાય તો બીજા વ્યક્તિ એને આપણી પાસેથી લેવાની ના પાડી ડે છે. ઘણી વાર ઉતાવળમાં આપણે ધ્યાન નથી આપતા અને આપણી પાસે ફાટેલી ચલણી નોટ આવી જાય છે, કે પછી આપણી જ કોઈ ભૂલના કારણે સારી નોટ પણ ફાટી જાય છે. પછી એ નોટને વટાવવી અઘરું કામ થઇ જાય છે.

પણ જણાવી દઈએ કે, જો તમારી પાસે પણ આવી કોઈ જૂની અને ફાટેલી નોટો આવી જાય તો તમારે એના વિષે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આવી નોટોને બદલાવી શકાય છે. જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ફાટેલી નોટો બદલવા માટે પણ સુવિધા આપી છે.

હાલમાં જ આપવામાં આવેલા આદેશો અનુસાર, હવે તમે દેશની તમામ બેંકની બ્રાંચમાં ફાટેલી અને જૂની નોટો બદલાવી શકશો. અને જો કોઈ બેંક આ ગાઇડલાઇનફોલો ન કરે તો RBI તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, RBIએ બેંકો માટે જારી કરેલા એક આદેશમાં કહ્યું છે કે, દરેક બેંકની બ્રાંચમાં નોટ બદલાવાનું કામ કરી શકાય છે. આ માટે એવું જરૂરી નથી કે, એ ગ્રાહકનું એ જ બ્રાંચ કે બેંકમાં ખાતું હોય. દેશની કોઈ પણ બેંક અને તેની કોઈપણ બ્રાંચમાં જઇને જૂની અને ફાટેલી ચલણી નોટો બદલાવી શકાય છે.

મિત્રો, આરબીઆઈના નિયમ અનુસાર તમે 3 પ્રકારની ચલણી નોટો બદલાવી શકો છો. એક તો એવી ચલણી નોટ જે હાલમાં જ આપવામાં આવેલા આદેશો અનુસાર, હવે તમે દેશની તમામ બેંકની બ્રાંચમાં ફાટેલી અને જૂની નોટો બદલાવી શકશો. અને જો કોઈ બેંક આ ગાઇડલાઇનફોલો ન કરે તો RBI તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, RBIએ બેંકો માટે જારી કરેલા એક આદેશમાં કહ્યું છે કે, દરેક બેંકની બ્રાંચમાં નોટ બદલાવાનું કામ કરી શકાય છે. આ માટે એવું જરૂરી નથી કે, એ ગ્રાહકનું એ જ બ્રાંચ કે બેંકમાં ખાતું હોય. દેશની કોઈ પણ બેંક અને તેની કોઈપણ બ્રાંચમાં જઇને જૂની અને ફાટેલી ચલણી નોટો બદલાવી શકાય છે.

મિત્રો, આરબીઆઈના નિયમ અનુસાર તમે 3 પ્રકારની ચલણી નોટો બદલાવી શકો છો. એક તો એવી ચલણી નોટ જે ધોવાઈ ગઈ હોય, અથવા તો બહુ લોકોની વચ્ચે ફરવાને કારણે તેનો રંગ ઉડી ગયો હોય. એ સિવાય એવી ચલણી નોટો જે ફાટી ગઈ હોય અને તેના ટૂકડા તમારી પાસે હોય. અને છેલ્લે એવી ચલણી નોટો જે મિસમેચ નંબરવાળી હોય.

જણાવી દઈએ કે, આરબીઆઈના નિયમ અનુસાર, નોટ ઉપર કંઇક લખેલું હોય તો તે માન્ય તો છે, પરંતુ જો તેની પર કંઇક એવું લખ્યું હોય જે રાજનીતિને લાગે વળગતું હોય, તો આવી નોટો પણ બેંક સ્વીકારતી નથી.

ધોવાઈ ગઈ હોય, અથવા તો બહુ લોકોની વચ્ચે ફરવાને કારણે તેનો રંગ ઉડી ગયો હોય. એ સિવાય એવી ચલણી નોટો જે ફાટી ગઈ હોય અને તેના ટૂકડા તમારી પાસે હોય. અને છેલ્લે એવી ચલણી નોટો જે મિસમેચ નંબરવાળી હોય.

જણાવી દઈએ કે, આરબીઆઈના નિયમ અનુસાર, નોટ ઉપર કંઇક લખેલું હોય તો તે માન્ય તો છે, પરંતુ જો તેની પર કંઇક એવું લખ્યું હોય જે રાજનીતિને લાગે વળગતું હોય, તો આવી નોટો પણ બેંક સ્વીકારતી નથી.

એક વાત યાદ રાખવી કે, આરબીઆઈના જણાવ્યા અનુસાર, બળી ગયેલી અથવા તો વધુ ટૂકડા થયેલી નોટો બદલી શકાતી નથી. અને જેના પર સૂત્રોચ્ચાર અથવા રાજકીય સંદેશા લખેલા હોય તેને પણ બેંક સ્વીકારતી નથી. અને એટલું જ નહીં, જો બેંક અધિકારીને એવું લાગે છે કે, તમે જાણી જોઈને નોટ ફાડી નાખી છે તો પણ તે નોટ બદલવાની ના પાડી શકે છે.

અને મિત્રો, જો કોઈપણ બેંક આરબીઆઈની આ સૂચનાનું પાલન નહિ કરે, તો એવા સમયે તમે તે બેંકના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને આ બાબતે ફરિયાદ નોંધાવી શકો છો. દરેક બેંકનો ટોલ ફ્રી નંબર બેંકની દરેક શાખાની દીવાલો પર લગાવવામાં આવ્યો હોય છે. જો આ ફરિયાદ પછી પણ બેંક તમારી વાત ન સાંભળે, તો તમે બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરવા માટે 0512-2306278, 2303004 આ નંબર પર ફોન કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *