રંગીલું રાજકોટ ફરી એકવાર થયું લોહીલુહાણ, મહાનગર પાલિકાના કર્મીની કરાઈ દર્દનાક હત્યા- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): ફરી એક વાર રાજકોટ(Rajkot) શહેર રક્તરંજીત બન્યું છે. આ ઘટના રાજકોટ શહેરમાં આવેલા થોરાળા(Thorala) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકર નગર પાસેની છે. એક યુવકની આંબેડકર નગર નજીક હત્યા(Murder) કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે એમડી દાફડા, નિતીન મુછડીયા, ગોપાલ કલા ગોહિલ, ધર્મેશ ગોહેલ, ભમો ગોહેલ, હિતેશ ગોહેલ અને આનંદ મયુર અને બન્ની પરમાર સહિતના આઠ વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 302 હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે.

હાલ પોલીસે હત્યાની ઘટનામાં સગીર સહિત આઠ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યાર બાદ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, અંગત અદાવતના કારણે સિદ્ધાર્થ મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

મળેલી માહિતી અનુસાર સિદ્ધાર્થ મકવાણા બુધવારે આંબેડકર નગર નજીક રોડ પર હતો ત્યારે i20 કાર અને ટુ વ્હીલરમાં  આઠ જેટલા લોકો આવ્યા અને તરતજ બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ સિદ્ધાર્થ કઈ પણ સમજે તે પહેલા તીક્ષણ હથિયારો દ્વારા ઘા માર્યા હતા. સિદ્ધાર્થને ગંભીર ઈજા થઇ હતી. ત્યાર બાદ તાત્કાલિક તેને 108 મારફતે હોસ્પિટલે  જવામાં આવ્યો.

મળતી માહિતી અનુસાર, મૃતક તેમજ હત્યાના ગુનામાં સામેલ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતક રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીનો કર્મચારી હોવાનો પણ જાણકારી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *