બોટાદમાં યુવકનું ગળું કાપી કરાઈ કરપીણ હત્યા- કારણ માત્ર એટલું જ હતું કે…

ભાવનગર(Bhavnagar): બોટાદ(Botad)માં હત્યાની ઘટના સામે આવતાં ફફડાટ મચી જવા પામ્યો છે. જૂની અદાવતમાં યુવકની હત્યા(Botad Murder) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હોવાનું પણ બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર, બોટાદના ઠાકણિયા ગામમાં યુવકનું ગળું કાપી કરપીણ હત્યા કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અન્ય બે યુવકો પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જૂની અદાવતમાં આ કરપીણ હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જ્યારે બોટાદ પોલીસ દ્વારા હત્યા કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, બોટાદના ઢાકણીયા ગામે યુવાનનું ગળું કાપી હત્યા કરાતાં અરેરાટી વ્યાપી ગઈ છે. 30 વર્ષીય યુવક નવઘણભાઈ ઝાલાભાઈ જોગરણા ભરવાડની હત્યા કરવામાં આવી છે. આ ઘાતકી હુમલામાં અન્ય બે યુવાનોને ગંભીર ઇજા થવાને કારણે સારવાર અર્થે ભાવનગર અને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે યુવાનોને મુનાભાઈ જોગરણા અને તેજાભાઈ જોગરણાને ગંભીર ઇજાઓ પહોંચી છે. જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે. બોટાદ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, બનાસકાંઠામાં પણ હત્યાની ઘટનાનો બનાવ સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના રવિ ગામે હત્યાની ઘટના સામે આવી છે. પતિએ પત્નીને બોથડ પદાર્થ ઝિંકી હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પત્નીની હત્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે અને પત્નીની હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે. સમગ્ર ઘટનાને લઈને ધાનેરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પતિના મૃતદેહને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાશે. જ્યારે પત્નીના મૃતદેહને પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *