જાણો ગુજરાતમાં ક્યા, પ્રેમી પંખીડાએ પ્રેમના કોડ પુરા ન થતા ઝાડ સાથે દુપટ્ટો બાંધી મોતને વ્હાલું કર્યું

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમીએ ગામની સીમમાં આવેલ વાડીમાં ઝાડ પર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં તેણે પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જિલ્લાના ચૂડા તાલુકાના મોરવડ ગામની યુવતી અને ધોળકા તાલુકાના ગાંગડ ગામના યુવકે પ્રેમ સંબંધમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. એક ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો અને શ્વાસ રૂંધાવાથી તેનું મૃત્યુ થયું. પ્રેમના કોડ પૂરા ન થતા મોતનો માર્ગ પસંદ કર્યો છે અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ અંગે પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક વાડી વિસ્તારમાં પહોંચી ગયા હતા.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસે બંનેના પરિવારજનોને પણ જાણ કરી છે. પ્રેમ સંબંધમાં તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં યુવક અને યુવતીના મોતથી પરિવાર પણ આઘાતમાં છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *