Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ(Lok Sabha Election 2024) થઈ ગઈ છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. AAP તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હીમાં આ બેઠકો પર આપ કોંગ્રેસ વચ્ચે સમજૂતી
AAP તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થઈ છે.
આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે હરિયાણામાં તે કુરુક્ષેત્ર લોકસભા સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતારશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લખનઉમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.
બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી
દિલ્હીમાં કોંગ્રેસ – AAPની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઇ હતી. આપ તરફથી સૌરભ ભારદ્વાજ, આતિશી હાજર રહ્યા હતા. કોંગ્રેસમાંથી મુકુલ વાસનિક, અરવિંદ લવલી હાજર રહ્યા.મુકુલ વાસનિકે જણાવ્યુ આમ આદમી પાર્ટી સાથે લાંબી ચર્ચાઓ કરીઃ મુકુલ વાસનિક કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોને લઇ ફોર્મ્યુલા નક્કી. ઇન્ડિયા ગઠબંધનના બે મહત્વપૂર્ણ પક્ષો એકસાથે આવ્યા. દિલ્હી લોકસભામાં AAP 4 બેઠકો પર લડશે. દિલ્હીમાં 3 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ લડશે. ભરૂચ અને ભાવનગર બેઠકો પર આપ લડશે. ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ જ ચૂંટણી લડશે.
ગુજરાતમાં કોંગ્રેસ-AAP સાથે ચૂંટણી લડશે
ગુજરાતમાં કોંગ્રેસ અને AAP પણ સાથે મળીને ચૂંટણી લડશે. ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી, કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે AAP ભરૂચ અને ભાવનગરમાં બેઠક પરથી ચૂંટણી લડશે.
કોંગ્રેસ હરિયાણામાં 9 સીટો પર ચૂંટણી લડશે
મુકુલ વાસનિકે મીડિયાને જણાવ્યું કે હરિયાણાની 10 લોકસભા સીટોમાંથી કોંગ્રેસ 9 પર અને આમ આદમી પાર્ટી કુરુક્ષેત્ર પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ચંદીગઢ સીટ પર લાંબી ચર્ચા બાદ નક્કી થયું કે કોંગ્રેસ ઉમેદવાર ત્યાંથી પણ ચૂંટણી લડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube