50 વર્ષમાં પહેલી વખત ચીન બોર્ડર પર હિંસક લડત, શહીદ થયા ભારતીય જવાનો

ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ ઉપર તણાવ વધી ગયો છે. ગલવાન ખાડી પર સોમવારની રાત્રે ભારતીય સૈનિક અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ. આ ઝડપમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થઈ ગયા છે. 70ના દશકની બાદ પહેલી વખત એલએસી પર ભારતીય જવાનોની શહીદી થઈ છે.

૧૯૬૨માં ભારત અને ચીન નું યુદ્ધ થયું હતું. આ યુદ્ધ બાદ એટલે કે 70ના દશકની આ બાદ એલએસી પર તણાવની ખબરો આવતી રહેતી હતી, પરંતુ કોઇ ભારતીય સેનાનો જવાન શહીદ ન થયો હતો. આજે લગભગ પચાસ વર્ષ બાદ બોર્ડર પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસા થઈ, જેમાં ભારતીય સેનાના અધિકારી અને બે જવાનો શહીદ થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી ભારત ચીનની બોર્ડર પર વિવાદ ચાલી રહ્યો છે. ચીન સતત કહી રહ્યું છે કે તે વાતચીત દ્વારા આ મામલાને થાળે પાડવા માગે છે, પરંતુ તે પીછેહઠ કરવાની ના પાડી રહ્યું છે. ભારતે ચોખ્ખું કહી દીધું છે કે ચીનના સિપાઈઓને પાછું હટવું પડશે. બોર્ડર પર બદલાયેલી પરિસ્થિતિને ભારત સ્વીકાર નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *