‘હિટલરની જેમ ભાજપ પણ નકલી રાષ્ટ્રવાદના નામે જનતાને ભ્રમિત કરી કરી રહ્યું છે’ – ઇસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી(aap)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhav)એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, સમાચાર ના માધ્યમ થી જાણવા મળ્યું છે કે, ગોવામાં સરકાર ને હજી ચાર મહિના નથી થયા, અને ગોવા માં ભાજપ એ ફરીથી કોંગ્રેસના ધારાસભ્યો ખરીદી લીધા છે. ગોવા ની જનતાએ કોંગ્રેસને મત આપ્યા હતા, ભાજપ વિરુદ્ધ મત આપ્યા હતા, અને ભાજપને મત આપ્યા હતા. પરંતુ હવે ગોવાની જનતા ને દુઃખ થતું હશે ke, આમ આદમી પાર્ટી ની સરકાર નથી બની અને કોંગ્રેસ ના ધારાસભ્યો વેચાઈ ગયા છે.

એવું સાંભળવામાં આવ્યું છે કે, ભાજપ દ્વારા જનતા ના ટેક્સ અને કૌભાંડ થી ભેગા થયેલા કરોડો રૂપિયા થી ધારાસભ્યો ને ખરીદવામાં આવે છે. આ જ કારણ થી મોટા ભાગના કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ગયા છે. અમે આ ઉદાહરણ પર થી ગુજરાતની જનતા ને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ ને મત આપવો એટલે કે ભાજપ ને મત આપવો. જો જનતા ઇચ્છતી હોય કે ભાજપ સત્તામાં ના આવે એટલે કોંગ્રેસ ને મત આપી દઈએ પરંતુ આ જ રીતે કોંગ્રેસના ધારાસભ્યો ને ખરીદી લેવામાં આવશે અને જનતાનો મત નિષ્ફળ થઇ જશે. એટલે કોંગ્રેસ ને મત ના જ આપવો જોઈએ.

ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં 58 જેટલા મોટા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપના ખેમા માં જઈને બેઠા છે. ભાજપ હંમેશા એવું કહે છે કે, આવશે તો ભાજપ જ. એ એટલા માટે એવું કહી શકે છે કેમ કે ભાજપના દલાલો ને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપેલી છે. ગરીબો પર ટેક્સ નો ભાર નાખી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને તેનાથી ધારાસભ્યો ખરીદવામાં આવે છે. જો ગુજરાતમાં ભાજપ નો નિકાલ કરવો હોય તો એ ફક્ત એક જ પાર્ટી કરી શકે છે અને એ છે આમ આદમી પાર્ટી.

અત્યાર હાલ માં પણ ભાજપ ના નેતા ઓ ચૂંટણી ફંડના નામે કરોડો રૂપિયા ભેગા કરી રહ્યા છે, કે જ્યાં પણ કોઈ તાલુકો-જિલ્લો ભાજપ વિરોધી લાગે ત્યાં દલાલી કરીને અપક્ષ નેતા ઉભા કરી શકે. એટલે ગુજરાતની જનતા એ કોંગ્રેસ પર વિશ્વાસ નહિ કરવો, ભાજપ પર વિશ્વાસ નહિ કરવો, અપક્ષ પર વિશ્વાસ નહિ કરવો, આ બધી સમસ્યાઓ નો એક માત્ર ઉકેલ છે આમ આદમી પાર્ટી. કેમ કે છેલ્લા 27 વર્ષોમાં ભાજપ એ વાયદાઓ સિવાય બીજું કઈ આપ્યું જ નથી.

ભાજપ એ 27 વર્ષ સુધી કંઈ કર્યું જ નથી તેનું ઉદાહરણ વરસાદમાં થયેલી અમદાવાદ ની હાલત છે. અમદાવાદ મહાનગરપાલિકા માં પંદર વર્ષ થી ભાજપ નું રાજ છે. અમદાવાદ માટે દર વર્ષે AMC સાડા નવ થી દસ હજાર કરોડ નું બજેટ ફાળવે છે. એટલે 48 વોર્ડ માં એક વોર્ડ દીઠ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આના સિવાય વેલફેર માટે રાજ્ય સરકાર તરફ થી મળતી ગ્રાન્ટ અલગ. છતાંય એક વરસાદમાં અમદાવાદ ખાડા નગરી કેમ બની જાય છે? કેમ અમદાવાદ શુદ્ધ શહેર નથી? કેમ અમદાવાદના રસ્તાઓ તૂટી ગયા છે? કેમ અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે? કેમ અમદાવાદમાં ગંદકી છે? કેમ અમદાવાદમાં ગટર વ્યવસ્થા સુધરી નથી? આ બધાનું કારણ છે ભાજપ નો ભ્રષ્ટાચાર.

વધુમાં જણાવતા તેમને કહ્યું કે, મારી ગુજરાત ની જનતા થી વિનંતી છે, તમારો એક પણ મત વેડફતા નહિ. ગોવામાં ચાર મહિના પહેલા જ અરવિંદ કેજરીવાલ એ કહ્યું હતું કે, જનતા કોંગ્રેસ ને મત આપશે પરંતુ કોંગ્રેસ ના ધારાસભ્યો ભાજપમાં વેચાઈ જશે, તેનો વિડિઓ પણ ગૂગલ અને યૂટ્યૂબ ના માધ્યમ થી જનતા જોઈ શકે છે, અને આજે અરવિંદ કેજરીવાલ ની વાત સાચી પડી. ગોવામાં 10 થી 11 ધારાસભ્યો ચૂંટાયા છે જેમાંથી મોટા ભાગના ધારાસભ્યો ભાજપના ખેમા માં જતા રહ્યા છે. એટલે ગુજરાતની જનતા એ 5% મત એ કોંગ્રેસ ને આપવા નહિ. ના ભાજપ ને, ના અપક્ષ ને, ના બીજી પાર્ટી ને. જો આમ આદમી પાર્ટી સંપૂર્ણ મજબૂતાઈ થી ગુજરાતમાં સત્તામાં આવશે તો જ ગુજરાત માં જલ્દી બદલાવ આવશે. જેમ 5 વર્ષ પંજાબ ની જનતાએ આમ આદમી પાર્ટી ને મોકો આપ્યો એમ હવે ગુજરાત ની જનતા એ પણ આપવાનો છે.

પંજાબ માં હવે ભ્રષ્ટાચાર ખતમ થઇ ગયો છે. પંજાબ માં કોઈ પણ પ્રકાર નો ટેક્સ વધાર્યા વગર 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે. કોંગ્રેસ અને ભાજપ ના રાજ માં જે બહોળા પ્રમાણમાં ડ્રગ્સ ની લે વેચ થતી હતી તે બંધ થઈ ગઈ છે. અને જલ્દી થી પંજાબ પર નું દેવું પણ ઉતારી દેવામાં આવશે. જેમ દિલ્હીમાં મફત સુવિધા આપવા છતાં દિલ્લી આજે સરપ્લસ છે એમ પંજાબ પણ સરપ્લસ થઇ જશે. પંજાબ ની 117 વિધાનસભામાં દિલ્હી જેવી સ્કૂલો અને મોહલ્લા ક્લિનિક બનાવવાનો ઓડર કરી દેવામાં આવ્યો છે. પંજાબ ની જેમ આ બધી સુવિધા લેવાનો હવે ગુજરાત પાસે પણ મોકો છે.

હિટલર ની જેમ ભાજપ પણ નકલી રાષ્ટ્રવાદ ના નામે જનતા ને ભ્રમિત કરી કરી રહ્યું છે. જનતા ને ભ્રમિત કરી, મત મેળવી પોતાના ઘર ભરવાનું કામ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. 22 કરોડ લોકો ભારત માં ભૂખમરા થી પીડાઈ છે, 3 લાખ બાળકો ગુજરાત માં કુપોષિત છે. અને ભાજપના નેતાઓ ગરીબો પર ટેક્સ નાખી ભ્રષ્ટચાર કરે છે. ભાજપની નીતિયો થી ગુજરાત ની જનતા ને બચવાની જરૂર છે.

ભાજપ સોશિયલ મીડિયાના માધ્યમ થી, વોટ્સએપ યુનિવર્સિટી થી આમ આદમી પાર્ટી વિરુદ્ધ ભ્રમ ફેલાવવાનો, ખોટી અફવા ફેલાવવા નો પૂરો પ્રયત્ન કરશે પરંતુ ગુજરાત ની જનતાએ આ બધા થી ચેતીને રહેવું. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ની દરેક જાણકારી ને ગૂગલ પર રિસર્ચ કરીને જ વિશ્વાસ કરવો એ ભાજપ દ્વારા બનાવેલી બનાવતી જાણકારી, મેસેજ કે વિડીયો પણ હોય શકે છે. મારી ગુજરાત ની જનતા ને અપીલ છે કે કોંગ્રેસ ને આપેલો મત ભાજપ ને જ જશે એટલે સમજી વિચારી ને મત આપવો અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ની અફવાઓ થી ચેતીને રહેવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *