એનાલીસીસ રીપોર્ટ: નર્મદામાં પુર આવ્યું એ માનવ સર્જિત કે કુદરતી?

Artificial or natural disaster in Narmada: મધ્યપ્રદેશ વરસી રહેલા મુશળધાર વરસાદની અસર ગુજરાતના મહાનગરોમાં જોવા મળી રહી છે. નર્મદા નદીએ મધ્યપ્રદેશમાં રોદ્ર રૂપ ધારણ કર્યું…

Artificial or natural disaster in Narmada: મધ્યપ્રદેશ વરસી રહેલા મુશળધાર વરસાદની અસર ગુજરાતના મહાનગરોમાં જોવા મળી રહી છે. નર્મદા નદીએ મધ્યપ્રદેશમાં રોદ્ર રૂપ ધારણ કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહી છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમમાંથી સમયાંતરે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા નદીના કાંઠાવાળા વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાય છે. 16 સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમમાં 22 લાખ ક્યુસેક જેટલું પાણીનો આવરો થતા 17 સપ્ટેમ્બરે 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. છેલ્લા દોઢ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની ક્ષમતાથી બમણું પાણી એકત્ર થયું છે. જો કે પુર જેવી સ્થિતિ સર્જાયા બાદ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે નર્મદા નદીમાં આવેલું પુર એ માનવ સર્જિત છે કે પછી કુદરતી….?(Artificial or natural disaster in Narmada)

ત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે નર્મદા બંધમાંથી એકસાથે પાણી છોડવામાં આવ્યું જેને લઈને તારાજીની સ્થિતિ આવી. સામે પક્ષે સરકારનો સ્પષ્ટ તર્ક છે કે ઉપરવાસનો ભારે વરસાદ અને ઓમકારેશ્વર ડેમમાંથી નર્મદા નદીમાં દોઢ દિવસમાં એકસાથે લાખો ક્યુસેક પાણી આવવાથી પાણી છોડવું પડ્યું અને તૈયારીનો સમયગાળો ઓછો મળ્યો. આ રીતે સરકાર આ આફતને માનવસર્જિત નહીં પણ કુદરતી કહી રહી છે. આફત કુદરતી હોય કે માનવસર્જિત પણ અત્યારે નર્મદાની સાથે-સાથે મહીસાગર નદીના પાણી જે તે ગામમાં ફરી વળ્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. સરકારના રાહત અને બચાવકાર્ય ચાલુ છે.

માનવસર્જિત કે પછી કુદરતી ઋષિકેશ પટેલનું મંતવ્ય આવ્યું સામે
ભાજપ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિરોધીઓ દ્વારા આ આપત્તિને માનવસર્જિત આપત્તિ કહી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં જુલાઇ માસમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગષ્ટ માસ દરમિયાન નહિવત વરસાદ રહ્યો અને સપ્ટેમ્બર માસમાં ફરી વખત સારો વરસાદ પડ્યો છે. મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારમાં વરસાદની ઘટ્ટ હતી ત્યાં પણ સારો વરસાદ છેલ્લા ત્રણ દિવાસમાં પડ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ૧૦૦ થી ૧૩૦ ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે વિરોધીઓ દ્વારા આ આપત્તિને માનવસર્જિત આપત્તિ કહી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. ઋષિકેશ પટેલે આ આપત્તિ કુદરતી આપત્તિ હોવાનું સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. કેચમેન્ટ વિસ્તાર, ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડવામાં આવેલું પાણી આ ત્રણેય કારણો ઉપરાંત છેલ્લા ૧.૫ દિવસમાં સતત પડી રહેલા વરસાદને કારણે હાલની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું તેમણે જણાવ્યું હતુ.

સમય સુચકતા વાપરી નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ સર્જાતા તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બધા જ જીલ્લાઓમાં અતિભારે વરસાદ થયો હતો. આ સ્ટોર્મ નર્મદા બેઝીનને સમાંતર આગળ વધ્યુ રહ્યું અને આમ ઉપરવાસમાંથી વરસતો સતત વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવતું પાણી ભેગું થતા આ સ્થતિ સર્જાય છે. મધ્યપ્રદેશનો ડેમ અંદાજીત ૮૫ % સુધી ભરાયેલા હોવાથી પાણી યથાવત સ્થિતીમાં છોડવામાં આવ્યુ છે. ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડાતા તા.૧૬મી સપ્ટેમ્બરની વહેલી સવારથી પાણી વધવા માંડ્યું હતું. ઇન્દિરાસાગર થી ૧૬મીએ સવારે ૭.૦૦ વાગે ૬.૬૭ લાખ ક્યુસેક નર્મદામાં પાણી છોડવામાં આવ્યુ હતું. એ વખતે સરદાર સરોવરની સપાટી ૧૩૫.૩૭ મીટર હતી. ૧૬મીએ ઓમકારેશ્વર ડેમમાંથી વહેલી સવારે ૩.૦૦ વાગે ૩૮,૦૦૦ ક્યુસેકથી વધારી ૪.૫૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે ૮ થી ૧૨ કલાકે સરદાર સરોવર સુધીમાં પહોંચ્યું હતું. ઓમકારેશ્વર અને સરદાર સરોવર વચ્ચેના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ૧૬મી સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગે ૫.૩૧ લાખ ક્યુસેક ફ્લડનો ઇનફ્લો શરૂ થયો હતો. જે વધીને રાત્રે ૧૧.૦૦ વાગે ૨૨ લાખ ક્યુસેક થયો હતો. ત્યારે સતત પાણી છોડવાના કારણે તંત્ર સજ્જ બનતા નીચાણવાળા વિસતારોને ચેતવણી આપવામાં આવી હતી. અને ત્યાર બાદ સમય અને તંત્રની સુચકતા પ્રમાણે ૧૬ સપ્ટેમ્બરે ૨૨ લાખ થયો હતો.

ડેમની ક્ષમતા કરતાં બમણું પાણી આવ્યું
ત્યાર બાદ સરદાર સરોવર ડેમની આસપાસના વિસ્તારોમાં ન્યુનતમ અસરો થાય તે ઉદ્દેશય સાથે ૧૭ સપ્ટેમ્બરે ૧૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ૧૬ સપ્ટેમ્બરે જીવંત સંગ્રહ ૧૦૯ % થી વધુ આવ્યો હતો. ડેમ ૧૧૦ % ભરાય તેટલુ પાણી ફક્ત ૧ થી દોઢ દિવસમાં જ આવ્યું હતું. ૧૬મી સપ્ટેમ્બરે કડાણા ડેમ ૧૨૪૯ MCMની ક્ષમતાના ૩૭ ટકા ભરેલો હતો જેમા ૧૭મીએ ૨૬૪૧ MCM પાણી આવ્યું હતું. એટલે કે ડેમની ક્ષમતા કરતાં બમણું પાણી આવ્યું હતું. ઉપરાંત ઉકાઇ ડેમ ૭૪૧૪ MCM અને ૨૪૦ ફીટ લેવલથી ૮૩ ટકા ભરેલ હતુ. જેમાં હાલ પાણીની આવક ૨,૨૭,૦૦૦ ક્યુસેક છે અને ૨,૯૦,૦૦૦ પાણી આઉટ ફ્લો છે.

વરસાદને પગલે ૧૨ હજારથી વધુ લોકોનું સ્થળાંતર
ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓનું સ્થળાંતર અને નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી ૬૧૭ વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું હતું. જયારે રાજ્યના ૨૨૭ ગામો વીજળી ગુલ થઇ હતી. વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા યુધ્ધના ઘોરણે પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરાઇ છે. વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *